Gujarati News

Gujarati News

News of Tuesday, 17th August 2021

રાજકોટના સાકરીયા પરિવાર દ્વારા માં ખોડલને ધ્વજા આરોહણ

નવાગઢઃ રાજકોટના ભીખાભાઈ નાથાભાઈ સાકરીયા પરીવાર દ્વારા સ્વ,પુત્ર વિક્રમભાઈ ની યાદ મા શ્રી ખોડલ માના ઘામ કાગવડ ખાતે ઘ્વજા આરોહણ સમો ભવ્ય મનોરથ આસ્થાભેર યોજાયો. સાકરીયા પરીવારના પ્રવીણભાઈ, કિશોરભાઈ, જીતુભાઈ, યોગેશભાઈએ સગા,સ્નેહિઓને મિત્રોની હાજરીમા જય જયકાર બોલાવી મંદિર પટાગણમાં સામૈયા કરયા બાદ ઘ્વજા આરોહણ કરીયુ હતુ ને બાદમા માંૅ ની પ્રસાદીરૂપી ભોજન ગૃહણ કરી સૌ કોઈ માં ખોડલનુ સ્મરણ પોતાના માનસપટ ઉપર લય છુટા પડયા હતા. 

(1:12 pm IST)