Gujarati News

Gujarati News

News of Thursday, 17th March 2022

કોઠારીયા રોડ પર ૧૬ જગ્‍યાએથી છાપરા-ઓટલા-સાઇન બોર્ડ તોડી પડાયા

રાજકોટ તા. ૧૭:  મહાનગરપાલિકા દ્વારા  વન વીક, વન રોડ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે.જે અન્‍વયે આજે કોઠારીયા રોડ પર ના ૧૬ સ્‍થળોએથી પાર્કિંગ તથા માર્જીનમાં થયેલ છાપરા, ઓટલાનાં દબાણો, ગેરકાયદેસર બાંધકામ દુર કરી ૧૩પ૦ ચો.ફૂટ જગ્‍યા ખુલ્લી કરવામાં આવી હતી. તેમજ વોર્ડ નં. ૭ ના લોહાનગરમાં ગેરકાયદે બે ઓરડીના બાંધકામો તોડી પડાયા.
આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ મ્‍યુ. કમિશ્નર અમીત અરોરાની સુચના અનુસાર તથા ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ શહેરના જાહેર માર્ગો પર વાહન પાર્કિંગની સમસ્‍યાને અંતર્ગત  કમિશનરશ્રી દ્વારા રજુ કરાયેલ એકશન પ્‍લાન અંતર્ગત મહાનગરપાલિકાની ટાઉન પ્‍લાનીંગ શાખા દ્વારા આજ તા. ૧૭ ના રોજ વન ડે વન રોડ અંતર્ગત શહેરના સેન્‍ટ્રલ ઝોન વિસ્‍તારના વોર્ડ નં. ૧૪ તથા ૧૭માં સમાવિષ્‍ટ કોઠારીયા મેઇન રોડ પર ફુટપાથ, માર્જિન તથા રોડમાં થયેલ દબાણો/ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા ડિમોલીશેન હાથ ધરવામાં આવેલ છે. જે અન્‍વયે કુલ ૧૬ સ્‍થળોએ સાઇન બોર્ડ રોડ પર ઓટલા, ફૂટપાથ પર ના છાપરા, પાર્કિંગમાં ઓટલા, નડતરરૂપ ઓટલા છાપરા સહિતના દબાણ દૂર કરી અંદાજે ૧૩પ૦ ચો. ફૂટ પાર્કિંગ/ રસ્‍તા પૈકીની જગ્‍યા ખુલ્લી કરાવવામાં આવેલ છે.

 

(3:31 pm IST)