Gujarati News

Gujarati News

News of Wednesday, 16th March 2022

કુદરતી અને ભેળસેળ વિનાના રંગનો જ ઉપયોગ કરવો

આ ધૂળેટી માણો આંખ અને સ્‍કીનને જાળવીને

હોળી અને ધુળેટી એટલે રંગોનો તહેવાર. સમગ્ર ભારતમાં હોળી - ધુળેટી ને રંગોથી આનંદ સાથે ઉજવવા માં આવે છે. આજના વર્તમાન સમયમાં યુવાવર્ગ કેસૂડાં તથા અબીલ ગુલાલ જેવા કુદરતી રંગોને ભૂલી ને ત્‍વચાને હાનિકારક એવા સિન્‍થેટિક રંગોનો બેફામ ઉપયોગ કરવા લાગ્‍યા છે. જેના કારણે ત્‍વચા તેમજ આંખને નુકસાન થવાનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. તો આવા સંજોગો માં ધુળેટીના રંગોનો આનંદ પણ માણવો અને ત્‍વચા, વાળ તથા આંખને નુકસાન પણના થાય તેનું ધ્‍યાન કઈ રીતે રાખવું તે વિષે આપણે રાજકોટના જાણીતા સ્‍કીન સ્‍પેશ્‍યલિસ્‍ટ ડો. ભાવેશ દેવાણી તથા આંખના ડો.મનીષા દેવાણી પાસે થી થોડી માહિતી મેળવીએ.

વર્તમાન સમયમાં પર્યાવરણમાં આવેલી જાગૃકતાને કારણે બેનહાનિકારક, ઇકોફ્રેન્‍ડલી, કુદરતી રંગો કે જે ફૂલોના તેમજ પાંદડાંના રસમાંથી તથા સુખડમાંથી બનાવામાં આવે છે તે મળવા લાગ્‍યા છે અને જાગૃત લોકો તેને વાપરે પણ છે. આવા રંગો ઘરે પણ બનાવી શકાય છે.

કુદરતી રંગોઃ- સુખડ નો પાવડર, અબીલ, ગુલાલ, હળદર, કેસુડો, મેહદી વિગેરે

સિન્‍થેટિક રંગોઃ લેડ ઓક્ષાઇડ (બ્‍લેક), આયોડીન (બ્રાઉન), એન્‍જિન ઓઇલ (ગ્રીન), કોપર સલ્‍ફેટ (ગ્રીન) ,મરકયુરી સલ્‍ફેટ (રેડ),પર્સીયન બ્‍લુ (બ્‍લુ) .

રંગ વધુ પ્રમાણ માં બને તેમજ લાંબો સમય તૈની અસર રહે તે માટે ઉપર દર્શાવેલ સિન્‍થેટિક રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ત્‍વચા તેમજ આંખને હાનિકર્તા તત્‍વો રહેલા હોય છે. જેનો ઉપયોગ કરવાથી ત્‍વચા માં બળતરા , એલર્જી, ખંજવાળ,લાલ ચકામાં થવાની શકયતા રહેલી છે. તેમજ આંખમાં બળતરા થવી, ખટકો આવવો, આંખમાંથી પાણી પડવા,જેવી તકલીફ થાય છે.

ભેળસેળયુક્‍ત ગુલાલ તેમજ અબીલ કે જેમાં રંગોને ચમકીલા બનાવવા માટે ળશણૂશ્વંફુયતદ્દ  ઉમેરવામાં આવે છે જેના કારણે ત્‍વચા પર ઉઝરડા થાય છે જેમાં રંગ ભળવાથી ત્‍વચાને ચેપ પણ લાગી શકે. જે વ્‍યકિતને એલર્જી હોય તેઓને ધુળેટી રમ્‍યાના થોડા દિવસ પછી પણ સૂકી ત્‍વચા તથા ખંજવાળ અને નાની ફોલ્લીઓ થઇ શકે છે. આ પ્રકારના રંગો વાળમાં લાગવાથી વાળ રૂક્ષ તેમજ સૂકા થઇ જાય છે. વાળ માં લાગેલ પાક રંગો ને દૂર કરવા વારંવાર શેમ્‍પૂ કરવાથી તેમજ વધુ ગરમ પાણીથી વાળ ધોવાથી વાળને વધુ નુકસાન થાય છે.

ધુળેટીમાં રંગોથી રમતા ત્‍વચા તેમજ આંખને નુકસાનના થાય તે માટે નીચે જણાવેલ બાબતોનું ધ્‍યાન રાખવું.

ધુળેટીમાં રમવા નીકળતા પહેલા ત્‍વચા ઉપર તઁતણૂશ્વફૂફૂઁ તથા ળંશતદ્દયશ્વશતફૂશ્વ બરાબર લગાડવું.

વાળમાં કોપરેલ તેલનું માલિશ કરી વાળને બાંધી દેવા.

આંખને સંપૂર્ણ કવર કરે તેવા સનગ્‍લાસ પહેરવા.

જ્જ જાડા સુતરાવ કપડાં પહેરવા.

કુદરતી તેમજ ભેળસેળ વિનાના રંગોથીજ રમવાનો આગ્રહ રાખવો. કેસુડાના ફૂલોને એક દિવસ પાણીમાં પલાળીને તેમાંથી બનતા રંગ નો ઉપયોગ કરવો.

હોઠ પર લિપબામ લગાડવો, નખ કાપેલા રાખવા, તથા પાકો નેઇલ પેન્‍ટ લગાડવો.

બાળકોને વડીલોના માર્ગદર્શન હેઠળજ રંગોથી રમાડવા.

રંગોથી રમ્‍યા પછી સૌપ્રથમ બધોજ ડ્રાય પાવડર ખંખેરીને દૂર કરવો , ત્‍યારબાદ હૂંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ ઁફૂયદ્દર્શ્વીશ્ર ષ્ટત્ર્ ધરાવતા સાબુનો ઉપયોગ કરવો.

રંગ દૂર કરવા સ્‍ક્રબરનો ઉપયોગના કરવો તેમજ ત્‍વચાને બહુ ઘસવી નહિ.

વાળને હળવા શેમ્‍પૂથી ધોવા તથા કન્‍ડિશનર કરવું તથા થોડા દિવસો સુધી તેલ માલીસ કરવું.

ઉપરોકત જણાવેલ કાળજી લીધા પછી પણ જો બળતરા રહે, ત્‍વચા રફ થઇ જાય,લાલ ચકામાં થાય,આંખમાં બળતરા થાય, આંખના સર્જન તેમજ સ્‍કીનના સ્‍પેશ્‍યાલિસ્‍ટ ને બતાવી તેમનો અભિપ્રાય લઇ લેવો હિતાવહ છે.

આ સાથે જ આપ સર્વે ને હોળી ની હાર્દિક શુભેછાઓ......

ડો.ભાવેશ દેવાણી (પ્‍ઝ સ્‍કિન),

ડો.મનીષા દેવાણી (પ્‍ લ્‍ બ્‍ષ્ટત્ર્દ્દત્રર્્ીશ્ર)

દ્રષ્‍ટિ સ્‍કિન એન્‍ડ આઈ હોસ્‍પિટલ, બીજો માળ, સ્‍માઈલ બિલ્‍ડીંગ, ૫, મનહર પ્‍લોટ કોર્નર, મંગલા મેઈન રોડ, રાજકોટ

ફોન (૦૨૮૧) ૨૪૮૩૪૮૩, મો.૯૪૦૮૦ ૯૪૦૮૧

(3:18 pm IST)