Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સીટી ઇજનેર માટે પરેશ અઢીયા અને આરોગ્‍ય અધિકારી પદે ડો. જયેશ વંકાણીની નિમણુંક : પદાધિકારીઓએ પસંદગીનો કળશ ઢોળ્‍યો

મનપામાં ખાલી પડેલી અધિકારીઓની બે જગ્‍યા માટે ઇન્‍ટરવ્‍યુ સંપન્‍ન

રાજકોટ તા. ૧૫ : મ.ન.પા.માં બિન અનામત કેટેગરીની ખાલી પડેલી સીટી ઇજનેર અને આરોગ્‍ય અધિકારીની જગ્‍યા માટે સ્‍ટાફ સિલેકશન કમિટિ (મ્‍યુ. કમિશનર) દ્વારા ૧૩ ઉમેદવારોના અગાઉ ઇન્‍ટરવ્‍યુ લેવાયા હતા.
 જેમાંથી સીટી ઇજનેર માટે પરેશ અઢીયા તેમજ ગૌતમ જોષી વેઇટીંગ લીસ્‍ટ આરોગ્‍ય અધિકારી તરીકે ભાવનગર જિલ્લાના ડો. જયેશ વંકાણી તથા સુરતના ડો. સમર્થ સીહોરાની વેઇટીંગ લીસ્‍ટમાં એ પ્રકારે પસંદગી કરાયેલ દરમિયાન આજે મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્‍ટે. કમિટિ ચેરમેન પુષ્‍કર પટેલ તેમજ શાસક નેતા વિનુભાઇ ધવા અને વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ પી.ડી.અઢીયા અને ગૌતમ જોષી તેમજ ડો. જયેશ વંકાણી તથા ડો. સમર્થ સીહોરાના ઇન્‍ટરવ્‍યુ લીધા હતા. જેમાંથી પરેશ અઢિયા તથા ડો. જયેશ વંકાણીના માર્ક વધુ હોવાથી તેઓની સીટી ઇજનેર તથા આરોગ્‍ય અધિકારી પદે પસંદગી કરાઇ હતી.
હવે શ્રી અઢીયા તથા ડો. વંકાણીની કાયમી નિમણૂંક માટે આગામી જનરલ બોર્ડમાં અરજન્‍ટ દરખાસ્‍ત મોકલવામાં આવશે.

 

(4:23 pm IST)