Gujarati News

Gujarati News

News of Tuesday, 14th March 2023

રાજકોટ નાગરિક બેંકની કાલાવડ રોડ શાખાનો અદ્યતન સ્‍વભવનમાં શુભારંભ

રાજકોટ : રાજકોટ નાગરિક સહકારી બેંકની કાલાવડ રોડ શાખાનો બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકરના હસ્‍તે અદ્યતન સુવિધાવાળા નવા સ્‍વભવન યુનીટી પ્રાઇડ, ગ્રાઉન્‍ડ ફલોર, કોટેચા ચોક, કાલાવડ રોડ ખાતે શુભારંભ કરાવવામાં આવેલ. આ પ્રસંગે વાઇસ ચેરમેન જીમ્‍મીભાઇ દક્ષીણી, ડીરેકટરગણમાંથી નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જયોતીન્‍દ્રભાઇ મહેતા (ચેરમેન નાફકબ), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), હંસરાજભાઇ ગજેરા, ચંદ્રેશભાઇ ધોળકીયા, ડો. માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, વિનોદભાઇ લાઠીયા (સદસ્‍ય બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ), રામભાઇ બરચ્‍છા (સદસ્‍ય બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ), વિનોદકુમાર શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), જીવણભાઇ પટેલ (પૂર્વ વાઇસ ચેરમેન), શાખા વિકાસ સમિતિમાંથી જયેશભાઇ સંઘાણી (સહ કન્‍વીનર), ડો. પ્રકાશભાઇ મોઢા (ડો. જયેશભાઇ રાજયગુરૂ, ડો. મેહુલભાઇ મિત્રા, જગદીશભાઇ લીંબાસીયા, અપૂર્વભાઇ મણીઆર, પ્રશાંતભાઇ વાણી, રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), જયેશભાઇ છાટપાર (એ.જી.એમ. બેંકીંગ), કામેશ્વરભાઇ સાંગાણી (એ.જી.એમ. મિલકત વેચાણ વિભાગ), વિપુલભાઇ દવે (પ્રમુખ જાગૃત કર્મચારી મંડળ), ધર્મેશભાઇ ટાંક (પ્રમુખ રાજકોટ નાગરિક બેંક કર્મચારી અને ધિરાણ ગ્રાહક સહકારી મંડળી), મનસુખભાઇ ગજેરા (મંત્રી), નિકુંજભાઇ ગુપ્‍તા (ડી.સી.એમ.), હરીપ્રકાશભાઇ વોરા (મેનેજર ક્રેડીટ), ઉમેદભાઇ જાની (સ્‍ટાફ રીલેશન અધીકારી) ઉપરાંત નાગરિક પરિવારજનો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસ્‍વીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપપ્રગટાવી વંદના કરાઇ હતી. અંતમાં આભાર દર્શન જયેશભાઇ સંઘાણીએ અને સંચાલન હરીપ્રકાશભાઇ વોરાએ કર્યુ હતુ.

(3:48 pm IST)