Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ન્યારી-૧ ડેમ ઓવરફલો થતા નીચાણવાસના ગામોના લોકોને સાવચેત રહેવા નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના

રાજકોટ તા. ૧૩ : અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફલડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવે છે કે રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના વાજડી વીરડા ગામ પાસેનો ન્યારી-૧ ડેમ તેની નિર્ધારીત સપાટીથી ૧૦૦ ટકા ભરાતા તેના ૭ દરવાજા ૪ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી ન્યારી-૧ ડેમના હેઠવાસમાં આવેલા રાજકોટ તાલુકાના વાજડી-વીરડા, વેજાગા, ગઢવાળી વાજડી તથા  લોધીકા તાલુકાના વડવાળી વાજડી, હરીપાર (પાળ) અને પડધરી તાલુકાના ખંભાળા, ન્યારા, રંગપર, તરઘડી, મોટા રંગપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.

(4:55 pm IST)