Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

શહેરીજનોને સ્‍વાતંત્ર્ય દિવસની શુભેચ્‍છાઃ કમલેશ મિરાણી

રાજકોટ,તા. ૧૩ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાપી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે શહેરીજનોને સ્‍વાતંત્ર્ય દિવસની શુભેચ્‍છા પાઠવતા જણાવેલ છે કે ઇ.સ. ૧૯૪૭ના આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. તેની ખુશીમાં દર વર્ષે સ્‍વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે સ્‍થાનીક સ્‍વરાજની સંસ્‍થાઓ દ્વારા ધ્‍વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્‍સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં ‘હર ઘર તિરંગા' અભિયાન ચાલી રહ્યુ છે. અને દેશવાસીઓમાં રાષ્‍ટ્રપ્રેમની ભાવના પ્રબળ બની છે. અને ‘હર ઘર તિરંગા'થી પ્રત્‍યેક ઘરો, સંસ્‍થાઓ પર તિરંગો લહેરાઇ રહ્યો છે. આઝાદીના આ અમૃત મહોત્‍સવે આપણે સૌ એક દિવ્‍ય ભારત, ભવ્‍ય ભારતના નિર્માણમાં સહભાગી થઇએ તેમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે, શહેરીજનોને સ્‍વાતંત્ર્ય દિવસની શુભેચ્‍છા પાઠવતા જણાવેલ છે. 

(3:38 pm IST)