Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

શહેરમાં બપોર સુધીમાં '૦' કેસ

કુલ આંક ૪૨,૮૦૧એ પહોંચ્યો : આજ દિન સુધીમાં ૪૨,૩૩૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો : રિકવરી રેટ ૯૮.૯૧ ટકા થયો

રાજકોટઃ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લ કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૦૧ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૩૦ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૨૭૨૩ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૨,૯૫,૦૩૨ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૦૧ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩.૩૩ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૧ટકા એ પહોંચ્યો છે. હાલ ૧૭ દર્દીઓ સારવાર હેઠળ છે. 

(3:52 pm IST)