Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

કોરોનાનો સામનો મ.ન.પા.ની ટીમ મક્કમતાથી કરી રહી છે : પ્રદિપ ડવ

કોરોનાની સ્થિતિ હાલ કાબૂમાં છતાં સર્વે - ટેસ્ટીંગની કામગીરી ચાલુ : મેયર

૧૦૪ સંજીવની રથ દ્વારા દર્દીની સારવાર : ૯ થી ૧૮ વર્ષની ઉપરના ૧૮૦૦ નાગરિકોના એન્ટીબોડી ટેસ્ટ : શહેરની ખાનગી - ટ્રસ્ટની હોસ્પિટલમાં ૧૮૦૦ ટન ઓકસીજન પ્લાન્ટની વ્યવસ્થા : ત્રીજી લહેર માટે પૂરતી તૈયારી હોવાનો તંત્રનો દાવો

રાજકોટ તા. ૧૧ : શહેરમાં ગઇકાલે એકીસાથે ૫ કોરોનાના કેસ નોંધાયા બાદ મેયર પ્રદિપ ડવે કોરોના સબંધી કામગીરી અંગે ત્વરીત પગલા લેવડાવ્યા હતા અને મ.ન.પા.નું આરોગ્ય તંત્ર કોરોનાની સર્વે - ટેસ્ટીંગ - સારવાર સહિતની તમામ કામગીરી પૂરી ગંભીરતાથી કરી રહ્યાનું અને તેના પરિણામ સ્વરૂપ આજે કોરોનાની સ્થિતિ કાબુમાં છે પરંતુ આમ છતાં હજુ પણ કોઇ બેદરકારી રહે નહી તે માટે આરોગ્ય તંત્ર દ્વારા સર્વે - ટેસ્ટીંગ - નિદાન - સારવારની કામગીરી પૂરી મક્કમતાથી કરવામાં આવી રહ્યાનું મેયર પ્રદિપ ડવે જાહેર કર્યું છે. મ.ન.પા. દ્વારા હાલમાં જે કોવિડ સબંધી કામગીરી થઇ રહી છે તેની અને ત્રીજી લહેર સબંધી ઓકસીજન સહિતની તૈયારીઓ બાબતે આંકડાકિય વિગતો જાહેર કરી છે જે આ મુજબ છે.

મહાનગરપાલિકાના મેયર મેયર ડો.પ્રદીપ ડવ જણાવે છે કે, ઙ્ગરાજય સરકાર દ્વારા કોરોના મહામારીના પડકારમાં મક્કમતાથી અને સફળતાપૂર્વક સામનો કરવામાં આવી રહેલ છે. રાજય સરકાર દ્વારા કેન્દ્રની માર્ગદર્શિકા અનુસાર ગત જાન્યુઆરી-૨૦૨૧થી વેકિસનેશન મહાઅભિયાન હાથ ધરવામાં આવેલું છે. ગુજરાતમાં વેકસીનેશનના પગલે કોરોના મહામારીથી સંક્રમિત ન થયેલ હોય તેવા લોકોમાં તેમજ કોરોના મહામારીમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓમાં કેટલા પ્રમાણમાં એન્ટીબોડી(રોગપ્રતિકારક શકિત) વિકસિત થઇ ચુકી છે તેની માહિતી એકત્ર કરવા સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિરો સર્વેલન્સ હાથ ધરવામાં આવેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારી મેડીકલ કોલેજ પી.એસ.એમ. ડીપાર્ટમેન્ટના સહયોગથી તા.૬થી મેડીકલ ટીમની તાલીમ અને નિયુકિત કરવામાં આવેલ છે.ઙ્ગરાજય સરકારશ્રી દ્વારા દરેક સેમ્પલ રેન્ડમ ૫૦ કલસ્ટર(પોલીયો બુથ પ્રમાણે) નક્કી કરવામાં આવેલ છે. મેડીકલ ટીમ દ્વારા દરેક કલસ્ટરમાંથી ઙ્ગજેમાં ૫ થી ૯ વર્ષ ના ૪, ૧૦ થી ૧૮ વર્ષ ના ૮ અને ૧૮ વર્ષ થી ઉપરના ૧૨ પુરુષ તેમજ ૧૨  સ્ત્રીના એમ કુલ મળીને ૩૬ સેમ્પલ લેવામાં આવશે. આ તમામ પ્રક્રિયા ૪ દિવસમાં પૂર્ણ થશે અને ૪ દિવસના અંતે કુલ ૧૮૦૦ સેમ્પલ લેવામાં આવશે. લેવામાં આવેલ દરેક સેમ્પલની માહિતી 'કોબો ટુલ્સ' નામના સોફટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે.

શહેરમાં સિરો સર્વેલન્સની આ કામગીરી માટે આરોગ્ય શાખાની ર૬ ટીમની રચના કરવામાં આવેલ છે. ઙ્ગદરેક ટીમમાં ૧ લેબ ટેક, ૧ MPHW, ૧ આશા વર્કર કામગીરી કરશે તથા ૧ સુપરવાઈઝર સુપરવિઝન કરશે. સેમ્પલ કલેકટ કરી, પ્રોસેસ કર્યા બાદ તેને PDU મેડીકલ કોલેજના માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટમાં પહોંચાડવામાં આવશે.

શહેરભરમાં તા.૧૦થી સિરો સર્વેલન્સ સેમ્પલીંગ કામગીરી શરૂ કરવામાં આવેલ છે અને આગામી પ થી ૬ દિવસમાં સેમ્પલ લેવાની કામગીરી પુર્ણ કરવામાં આવનાર છે. વિશેષમાં મેયર ડો.પ્રદીપ ડવએ જણાવેલ છે કે, કોરોના વૈશ્વિક મહામારીનો સામનો કરવા માટે, કેન્દ્ર અને રાજય સરકારના પગલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સ્વાસ્થ્ય સુખાકારી અને સલામતી માટે  આ મુજબની કામગીરી કરવામાં આવી રહી છે.

  • શરૂઆતથી લઇ આજ સુધીની સ્થિતિ કોરોનાની સ્થિતિ તા.૧૦/૦૮/૨૦૨૧ મુજબ

૧) ટોટલ કેસ : ૪ર,૮૦૦

૨) ટોટલ એકટીવ કેસ : ૨૧

૩) ટોટલ હોમ આઇશોલેશનમાં (એકટીવ કેસ) : ૨૦

૪) ટોટલ ડીસ્ચાર્જ : ૪૨,૩૨૫

૫) ટોટલ કોરોના મૃત્યુ : ૪પ૭

૬) રીકવરી રેટ : ૯૮.૮૯%

૭) છેલ્લા ૭ દિવસમાં આવેલ પોઝીટીવ કેસ : ૮

૮) ટોટલ કરવામાં આવેલ કોરોની ટેસ્ટ : ૧૨,૮૯,૧૬૦

૯) RTPCR ટેસ્ટ : ૨,૫૯, ૬૩૬.

૧૦)  એન્ટીજન ટેસ્ટ : ૧૦,૩૦,૦૨૪.

  • ઘરે-ઘરે સર્વે - નિદાન અને ઓકસીજનની કેપીસીટીની માહિતી

૧) ધન્વન્તરી રથની સંખ્યા - ૯૩

૨) ૧૦૪ વાહનની સંખ્યા -૩

૩) સંજીવની રથની સંખ્યા -૩

ઓકસીજનની પ્લાન્ટની વિગત

૧.    સરકારી હોસ્પિટલ ઓકસીજન

  પ્લાન્ટ કેપેસીટી = ૫.૩૪ MT

  પી.ડી.યુ. મેડીકલ કોલેજ = ૪.૮૪ MT

  પદ્મકુંવરબા હોસ્પિટલ = ૦.૫ MT

૨.    પ્રાયવેટ હોસ્પિટલ ઓકસીજન પ્લાન્ટ  કેપેસીટી = ૪.૪૪ MT ૬

  ક્રાઈસ્ટ હોસ્પિટલ = ૦.૮૧ MT

  પંચનાથ હોસ્પિટલ = ૦.૪૩ MTઙ્ગ

  વૈદેહી બેકબોન હોસ્પિટલ = ૩.૨૦ MT

  • આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવતી કામગીરી

.   કેન્દ્ર પર ટેસ્ટીંગ,

.   ધન્વંતરી દ્વારા એરીયાવાઈઝ RTPCR ટેસ્ટીંગ અને દરેક પ્રકારના રોગની સારવાર,

.   આરોગ્ય કેન્દ્ર પર ઙ્ગપર કોવિડ -૧૯ના ઙ્ગ૨સીકરણની કામગીરી

ધનવંતરી રથ

.   ધનવંતરી ૨થ સ્લમ અને જે એરીયામાં કોવિડના કેસ આવતા હોય તેવા એરિયામાં જઈ હાઈ રીસ્ક અને લો રીસ્ક કોન્ટેકટ ટ્રેસીંગ કામગીરી.

.   શરદી , ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા વ્યકિતઓનું ટેસ્ટીંગ (એન્ટીજન અને RTPCR)

.   લક્ષણો ધરાવતા તમામ લોકોને સ્થળ પર ડોકટર દ્વારા સારવાર

.   ધન્વંતરી રથ ટીમ દ્વારા બી.પી, ઓકસીજન, ડાયાબીટીસ માપવાની કામગીરી

ઙ્ગસંજીવની રથ

.   કોરોના પોઝીટીવ આવેલ હોય અને મહાનગરપાલિકા વિસ્તારમાં ઘરે સારવાર મેળવતા દર્દીઓની દરરોજ સંજીવની રથ ટીમ દ્વારા વિઝીટ, સારવાર અને ફોલોઅપ

.   દર્દીના લક્ષણોના આધારે જો જરૂર જણાય તો હોસ્પિટલમાં વધારાની સારવાર અર્થે રીફર કરવાની કામગીરી

૧૦૪ ટીમ

.   મહાનગરપાલિકા વિસ્તારમાં ટેલીફોનીક કોલ દ્વારા ૧૦૪ મેડીકલ ટીમ દ્વારા કોલરના ઘરે જઈ નિદાન, ટેસ્ટ અને સારવારની કામગીરી.

(3:42 pm IST)