Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

રાજકોટ ડેરી દરેક વોર્ડમાં ગોપાલ પાર્લર ખોલશે : સંત કબીર રોડ પર પ્રારંભ

રાજકોટ ડેરી દ્વારા સંત કબીર રોડ પર ગોકુલનગરમાં રામાપીરના મંદિર પાસે ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયાના હસ્તે ગોપાલ પાર્લરનું ઉદ્દઘાટન કરાયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ,તા. ૧૦ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંત કબીર રોડ પર ડેરીની બનાવટના વેંચાણ માટેના ગોપાલ પાર્લરનું ઉદ્દઘાટન ચેરમેન ગોરધનભાઇ ધામેલિયાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે ચેરમેને તમામ વોર્ડમાં એક એક ગોપાલ પાર્લર ખોલવાનું જાહેર કરેલ. શહેરમાં સંત કબીર રોડ ઉપર ખોલાયેલ પાર્લર બીજુ છે. બાકીના વોર્ડેમાં હવે ચાલુ કરવામાં આવશે. ગ્રાહકોને ગુણવતાવાળી વસ્તુઓ મળશે અને દૂધ ઉત્પાદકોને પણ ફાયદો થશે.

ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણી, ભાજપના પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ, ડેરીના એમ.ડી.વિનોદ વ્યાસ, ગેલાભાઇ કલોત્રા, વિરમભાઇ કલોત્રા (સંચાલક) વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)