Gujarati News

Gujarati News

News of Friday, 10th June 2022

ગણેશ વિદ્યાલયના આચાર્ય ભૂપેન્‍દ્રસિંહ જાડેજા સેવા નિવૃત્ત : કાલે પ્રેરણાધામ ખાતે અભિવાદન

રાજકોટ, તા. ૧૦ :  શિક્ષણ, સામાજીક તેમજ સહકારી ક્ષેત્રે સ્‍વચ્‍છ પ્રતિભા સંપન્ન વ્‍યકિતત્‍વ ધરાવતા ભૂપેન્‍દ્રસિંહ જાડેજા તેની દાયકાઓની શિક્ષક-આચાર્યની સેવા બાદ સેવા નિવૃત્ત થયા છે. સ્‍નેહ, સમર્પણ, સેવા, સંગઠન અને શિસ્‍ત ના પંચામૃત ગુણોથી ચંબુકીય વ્‍યકિતત્‍વથી હજારો લોકોના માનીતા બનેલા ભૂપેન્‍દ્રસિંહજી જાડેજાનો ભવ્‍ય અભિવાદન કાર્યક્રમ તા. ૧૧ ના શનિવારે સાંજે શ્રી પ્રેરણા ધામ ભવનાથ તળેટી જુનાગઢ ખાતે સાંજે પ કલાકે યોજવામાં આવ્‍યો છે.

શ્રી ભૂપેન્‍દ્રસિંહજી જાડેજાનો ભવ્‍ય અભિવાદન સમારોહ રાજકોટ શ્રી આર્ષ વિદ્યામંદિરના શ્રી સ્‍વામી પરમાત્‍માનંદ સરસ્‍વતીજીના અધ્‍યક્ષસ્‍થાને યોજવામાં આવેલ છે. આ સમારોહમાં શિક્ષક સંઘ, આચાર્ય સંઘ તેમજ વિવિધ ક્ષેત્રના આગેવાનો ઉપસ્‍થિત રહેશે.

શ્રી ગણેશ વિદ્યાલયના પ્રિન્‍સીપાલ શ્રી ભૂપેન્‍દ્રસિંહ જાડેજા ઉમદા વ્‍યકિત્‍વ ધરાવે છે. તેમના કાર્યકાળમાં અનેક ગરીબ બાળકોને શૈક્ષણિક સુવિધાઓ આપીને શિક્ષિત કર્યા છે. 

(4:34 pm IST)