Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

મહા શિવરાત્રીએ કતલખાના મટન માર્કેટ બંધઃ જાહેરનામૂ

રાજકોટ તા. ૧૧ :.. આગામી મહા શિવરાત્રી નિમિતે તા. ૧૩ ના રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માસ, મટન, મચ્છીનું વેચાણ કે સ્ટોર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં નાયબ કમીશ્નરશ્રીએ જાહેરનામુ બહાર પાડયું છે.

સંબંધકર્તા સર્વેએ આ જાહેરનામાની અમલવારી ચુસ્તપણે કરવી અને જાહેરનામાનો ભંગ કરનાર સામે બી. પી. એમ. સી. એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની સબંધકર્તા તમામે ગંભીર નોંધ લેવા સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(4:06 pm IST)