Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

ગાંધીગ્રામ મહાવીરનગરમાં લખધીર સભાડનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ,તા. ૮ : ગાંધીગ્રામ મહાવીરનગરમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.
મળતી વિગત મુજબ ગાંધીગ્રામ મહાવીરનગર શેર નં. ૩/ડીમાં રહેતા લખધીર મેરામભાઇ સભાડ (ઉવ.૩૦)એ પોતાના ઘરે ઓરડીમાં લોખંડની આડીમાં કપડું બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો  ઘરે આવ્‍યા ત્‍યારે યુવાનને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતાયુવાનનું  મૃત્‍યુ નિપજ્‍યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના હેડ કોન્‍સ. રવિભાઇ વાસદેવાણી તથા રાઇટર કૃષ્‍ણસિંહએ કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન કારખાનામાં કામ કરતો હતો. છેલ્લા ૧૫ દિવસથી કામે જતો હતો. તેણે કયાં કારણસરની આ પગલુ ભર્યું તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

 

(4:11 pm IST)