Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

સ્‍વાભીમાની રથનું રાજકોટમાં આગમન : બગથરીયા પરિવારની દીકરી દ્વારા સ્‍વાગત

રાજકોટ : શ્રી ઋષિવંશી સમાજ સેવા સંઘના સ્‍થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલીયાની આગેવાની હેઠળ સ્‍વાભીમાની રથનું રાજકોટમાં આગમન થયુ. જામનગરથી શરૂઆત કરી પોરબંદર, ત્‍યારબાદ રાજકોટ, સુરેન્‍દ્રનગર, બહુચરાજી, પાટણની પૂર્ણાહૂતી પહેલા વચ્‍ચે આવતા દરેક ગામ અને શહેરમાં ઋષિવંશી સમાજ દ્વારા ભવ્‍ય સ્‍વાગત અને સન્‍માન કરવામાં આવેલ.

દરેક ગામ અને શહેરના આગેવાનો સાથે વાતચીત કરી હતી. તેમજ સમાજમાં ઘડતર અને ઉત્‍થાનનું માર્ગદર્શન મેળવેલ. આ રથનું દરેક સમાજના લોકોએ હરખભેર સ્‍વાગત કરેલ. વડતાલથી આવેલ સ્‍વામી નારાયણ સંસ્‍થાના સંતોએ ઋષિવંશી સમાજના સ્‍વાભિમાન રથને આર્શીવાદ આપેલ.

તસ્‍વીરમાં રથનું સ્‍વાગત કરતાં અશોકભાઈ બગથરીયા, રતિભાઈ સુરાણી, રમેશભાઈ સુરાણી, સુનિલભાઈ પાડલીયા, સંદિપભાઈ બગથરીયા, કાન્‍તીભાઈ ભટ્ટી, સુનિલભાઈ સુરાણી, હરીભાઈ નાઈ, મહેશભાઈ રાઠોડ અને જીતુભાઈ રાઠોડ તેમજ બહેનો નજરે પડે છે. બગથરીયા પરીવારની દીકરી વૈભવી દ્વારા રથનું કુમકુમ તિલક ફૂલહાર કરેલ. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:45 pm IST)