Gujarati News

Gujarati News

News of Friday, 8th April 2022

કોરોનામાં મૃત્‍યુ પામનારા લોકોના આત્‍માની શાંતિ માટે ત્રંબા માનવ મંદિર ખાતે શ્રીમદ્દ ભાગવત કથા

રાજકોટઃ ત્રંબાના કસ્‍તુરબાધામ માનવ મંદિર ખાતે કોરોના કાળમાં મૃત્‍યુ પામનારા લોકોના આત્‍માની શાંતિ માટે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ કથા માટે બીજા કોઇ લોકો પાસેથી કોઇપણ પ્રકારનો ફંડફાળો લેવામાં આવતો નથી. માનવ મંદિરના ધીરૂભાઇ કોરાટ અને સ્‍મશાનમાં સેવા આપતા મુળજીભાઇ ખુંટે આ આયોજન કર્યુ છે. મુળજીભાઇ બિનવારસ લોકોના મૃતદેહોની અંતિમવિધીનું સેવાકાર્ય પણ કરે છે. આ કથામાં બાપાસિતારામ આશ્રમવાળા જગદીશભાઇ દ્વારા ભાવિકો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ભાવિકો મોટી સંખ્‍યામાં ધર્મગંગાનો લાભ લઇ રહ્યા છે. તેમ ત્રંબાથી જી. એન. જાદવે જણાવ્‍યું હતું. 

(12:10 pm IST)