Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૧/ર/ર૦૧૮- રવિવાર
મહા વદ-૧૧
વિજયા એકાદશી (પેંડા), સિદ્ધિયોગ-સૂર્યોદયથી રર-પ૯, રાજયોગ-રર-પ૯થી,
દગ્ધયોગ-૧૭-રપ થી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-ધન
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-તુલા
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૩
સૂર્યાસ્ત-૬-૪૦
જૈન નવકારશી-૮-૧૧
ચંદ્ર રાશિ-ધન (ભ.ફ.ધ.છ.)
નક્ષત્ર-મૂળ
માંગલીક કાર્યોનો શુભ સમય
૮-૪૭થી ચલ-લાભ-અમૃત-૧૩-૦૧ સુધી, ૧૪-ર૬થી શુભ-૧પ-પ૧ સુધી, ૧૮-૪૦થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૬ સુધી,
શુભ હોરા
૮-૧૯થી ૧૧-૦૮ સુધી,૧ર-૦પથી ૧૩-૦૧ સુધી, ૧૪-પ૪ થી ૧૭-૪૪ સુધી, ૧૮-૪૦થી ૧૯-૪૪ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
વ્રજનો અર્થ ઘણા થાય છે, પણ અહીં આપણે શ્રી કૃષ્ણની ભૂમિને વ્રજ ભૂમિ કહી શકીએ. વ્રજયાત્રા એટલે સતત ચાલીસ દિવસ શ્રી કૃષ્ણની લીલા સ્થળીમાખુલ્લા પગે ચાલીને શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું સતત તેનું ચિંતન-સ્મરણ કરવું. આ યાત્રા ૮૪ કોસમાં આવેલી છે. ૪૦થી ૪પ દિવસ પણ પ્રસ્થાનના ગણી શકાય. ભગવાન શ્રી કૃષ્ણની લીલા તેજ યુગલ સ્વરૂપની લીલા તેજ વ્રજધામ-ભગવાન શ્રીકૃષ્ણના જન્માક્ષર બાબત ઉંડા ઉતરવાનો અર્થ નથી. ભગવાનને કોઇ ગ્રહોની અસર થતી નથી અમો કંઇક જાણીએ છીએ તેવું જણાવવા ભગવાનની જન્મકુંડલી બનાવાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે તુ કર્મ કરજે તોજ તને હું મદદ કરીશ. દરેક વ્યકિતએ મહેમનત અને પુરૂષાર્થ કરવાથી જરૂર સફળતા મલે છે.