Gujarati News

Gujarati News

News of Monday, 18th September 2023

''પ્રેમ ના ફુલો''- ૫૩

યુવક ક્રાંતિદળ

મારા પ્રિય,

પ્રેમ, હું પ્રવાસમાં હતો, પાછો ફર્યો છું તો તમારો પત્ર મળ્યો છે. જીવન જાગૃતિ કેન્દ્રના મિત્રોને મળીને યુવક ક્રાંતિદળનું કાર્ય શરૃ કરી શકો છો. તેનું કોઇ વિધાન નથી. ક્રાંતિનું વિધાન થઇ પણ નથી શકતું. યુવકોમાં વિચારની જાગૃતિ હોય અને અંધવિશ્વાસની જગ્યાએ વૈજ્ઞાનિક ચિંતની જગ્યા લે એટલી જ અપેક્ષા છે. એકવાર જયારે હું ઇન્દોર આવું ત્યારે જરૃર મળજે. બાકી શુભ ત્યાં બધાંને પ્રણામ.

રજનીશના પ્રણામ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૭ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(12:39 pm IST)