Gujarati News

Gujarati News

News of Wednesday, 13th April 2022
બકુલભાઈ દુધાગરા પરિવાર દ્વારા સદ્દગત માતુશ્રીનું ચક્ષુદાન- દેહદાન

રાજકોટઃ લેઉઆ પટેલ સમાજના જુની પેઢીના જાહેરજીવનના અગ્રણી સ્‍વ.દામજીભાઈ દુધાગરા પરિવારના માતુશ્રી પાર્વતીબેનનું ૯૦ વર્ષની વયે દુઃખદ અવસાન થતા ચક્ષુદાન અને દેહદાનનો પ્રેરણાદાયી નિર્ણય કરીને સમાજને નવો રાહ ચીંધેલ છે. હોસ્‍પિટલ સતાવાળાઓએ સદ્દગતના ચક્ષુ અને મૃતદેવ સ્‍વીકારીને પ્રમાણપત્ર આપેલ.

આ સેવાકાર્યમાં નિમિત બનેલ વિવેકાનંદ યુથ કલબ પ્રેરિત ચક્ષુદાન- દેહદાન જનજાગૃતિ અભિયાન સમિતિના અનુપમ દોશી (મો.૯૪૨૮૨ ૩૩૭૯૬)  અને પ્રફુલભાઈ ર્ગોસ્‍વામીએ ચક્ષુદાતા- દેહદાતા પરિવારનો આભાર વ્‍યકત કરેલ.

અવસાન નોંધ

ડો.ઉષાબેન વ્‍યાસ

રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ કેનેડા વસતા ડો.હરગોવિંદભાઈ વ્‍યાસના ધર્મપત્‍નિ ડો.ઉષાબેન તે નિતાબેન, સીમાબેન અને બિમલભાઈના માતુશ્રી તથા અનિલભાઈ, રમેશભાઈ, રાજનભાઈ, મધુબેન તથા કલાબેનના ભાભીશ્રીનું તા.૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૧૪ને ગુરૂવારે સવારે. ૮ થી ૧૦ રાખેલ છે. બિમલભાઈ (કેનેડા) +૧(૬૧૩) ૪૪૦-૧૩૩૯, અનિલભાઈ (અમદાવાદ) મો.૯૪૨૮૩ ૫૨૨૩૭, રમેશભાઈ (રાજકોટ) મો.૯૩૭૪૧ ૦૬૬૮૪, રાજનભાઈ (જુનાગઢ) મો.૯૧૦૬૦ ૪૭૨૭૬

ઉષાબેન ખોડા

વેરાવળ : મુળ તાલાળા હાલ વેરાવળ નિવાસી સ્‍વ. વલ્લભભાઇ ગીરધરભાઇ ખોડાના પત્‍ની ઉષાબેન (ઉ.૬૮) તે નરેન્‍દ્રભાઇ (સી.એ.), પ્રકાશભાઇ (એડવોકેટ), વીણાબેન, ભાવનાબેનના માતૃશ્રી તથા નિતેષકુમાર અમલાણી, શૈલેષભાઇ લાખાણી, તેજલબેન, મેઘાબેનના સાસુ તેમજ માનવ, કશીષ, દિવાકર, ભાસ્‍કરના દાદી તથા સ્‍વ. ચુનીલાલ વલ્લભદાસ ઉનડકટ (મંડોરણાવાળા)ના દીકરીનું તા. ૧૧ના અવસાન થયેલ છે. ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. ૧૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ બિલેશ્વર મહાદેવ મંદિર જૈન દેરાસર ચોક, વેરાવળ ખાતે રાખેલ છે.