Gujarati News

Gujarati News

News of Thursday, 28th July 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૧૨

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ભૌતિક વિજ્ઞાનને ૫વાર

ભૌતીક વિજ્ઞાનને પવારનો અર્થ છે ઘરેઆવવુ, જાણવુ કે તમે એક ચેતના છો, જાણવુ કે, આખુ અસ્‍તીત્‍વ ચેતનાથી ભરેલુ છે આ ચેતનાનો જન્‍મ પદાર્થમાંથી થયેલ નથી પદાર્થ એ ફકત ચેતનાનું શરીર છે-કપડા છે, રહેઠાણ છે, મંદિર છે.-પરંતુ ચેતના ભગવાન છે અને મંદિર ભગવાન માટે બનાવવામાં આવ્‍યુ છે ભગવાન મંદિર માટે નહી પદાર્થનુ અસ્‍તીત્‍વ છે કારણ કે ચેતનાનું અસ્‍તીત્‍વ છે.

પદાર્થ એ ચેતનાની સુતેલી અવસ્‍થા છે. ચેતનાએ પદાર્થીની જાગૃત અવસ્‍થા છે. ખરેખર તો તે એક જ વસ્‍તુ છે-તેને ભગવાન અથવા સત્‍ય અથવા જે કઇપણ કહો તે એકજ વસ્‍તુ છે.પરંતુ તેને બે અવસ્‍થા છે એક જાગૃત અને એક સુષુપ્ત જયારે પદાર્થ પોતાના પ્રત્‍યે સચેત થઇ જાય છે. ત્‍યારે તે ચેતના છે જયારે ચેતના પોતાને ભુલી જાય છે. ત્‍યારે તે પદાર્થ છે.

તેથી જેઓ એવુ વિચારે છે કે પદાર્થ જ બધુ છે તેઓ સુષુપ્ત રહે છ.ે તેઓનું જીવન અંધકારમાં રહે છે તેઓ કયારેય જાણી શકતા નથી કે પ્રકાશ શું છે.તેઓની સવાર થતી જ નથી અને કુદરતી રીતે અંધકારમાં તેઓ ગોથા ખાય છે. અને પોતાની જાતને અને બીજાને પણ નુકશાન કરે છે અને તેઓનું આખુ જીવન સંઘર્ષ, હીંસા અને યુધ્‍ધથી ભરેલુ હોય છે. તેઓને કયારેય ખબર પડતી નથી કે પ્રેમ શું છે. કારણ કે પ્રેમ ત્‍યારે જ શકય છે. જયારે તમે પ્રકાશથી ભરેલા હો.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:23 am IST)