Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કેરળમાં કોરોનાના કેસમાં મોટો ઉછળો :દેશમાં નવા 46.761 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 31.292 દર્દીઓ રિકવર થયા : વધુ 512 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.37.401 થયો :એક્ટીવ કેસ 3.53.647 થયા : કુલ કેસની સંખ્યા 3.26.49.093 થઇ

સૌથી વધુ કેરળમાં 32.801 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4654 કેસ,તામિલનાડુમાં 1542 કેસ, આંધ્રપ્રદેશમાં 1515 કેસ, કર્ણાટકમાં 1301 કેસ,મિઝોરમમાં 905 કેસ,ઓરિસ્સામાં 816 કેસ,પશ્ચિમ બંગાળમાં 703 કેસ, આસામમાં 499 કેસ, મણીપુરમાં 311 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી,દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 46.761 કેસ નોંધાયા છે. જ્યારે 31.292 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 46.761 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 512 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.37.401 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 46.761 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.26.49.093 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.53.647 થઇ છે છેલ્લા 24 કલાકમાં 31.292 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.18.45.272 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી વધુ કેરળમાં 32.801 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4654 કેસ,તામિલનાડુમાં 1542 કેસ, આંધ્રપ્રદેશમાં 1515 કેસ, કર્ણાટકમાં 1301 કેસ,મિઝોરમમાં 905 કેસ, ઓરિસ્સામાં 816 કેસ,પશ્ચિમ બંગાળમાં 703 કેસ, આસામમાં 499 કેસ, મણીપુરમાં 311 કેસ નોંધાયા છે

(1:10 am IST)