Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

એક કરોડ લોકોને એક જ દિવસમાં વેકસીન આપી ભારતે વિક્રમ સર્જ્યો: નરેન્દ્રભાઈનો દ્રઢ સંકલ્પ રંગ લાવ્યો: મનસુખભાઈ માંડવીયા

રસિકરણમાં ભારતે વિશ્વ વિક્રમ સર્જ્યો છે. એક કરોડ લોકોને કોરોના રસી એક જ દિવસમાં આપીને ભારતે વિશ્વભરમાં એક નવો જ વિક્રમ સ્થાપિત દીધો છે. આજે રાત્રે દસ વાગે કુલ ૧,૦૦,૬૪,૦૩૨ લોકોને કોરોના રસી મૂકવામાં આવ્યાનું સત્તાવાર જાહેર થયું છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર લખ્યું છે કે, "સબકા
સાથ સબકા વિકાસ, સબકા વિશ્વાસ સબકા પ્રયાસ.." આ એ જ પ્રયાસ છે જેના લીધે દેશમાં એક કરોડથી વધુ  લોકોને એક જ દિવસમાં રસીકરણ શક્ય બન્યું છે. સ્વાસ્થ્ય કર્મચારીઓના અથાગ પ્રયાસો અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો દ્રઢ સંકલ્પ રંગ લાવ્યો છે..

(10:44 pm IST)