Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

પશ્ચિમ બંગાળના દાર્જીલીંગમાં ૧૧ સપ્ટેમ્બરથી રામકથા

રાજકોટ, તા., ૨૭: પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત માનસ નૈમિષારણ્ય શ્રીરામકથા રવિવારે વિરામ લેશે. ત્યાર બાદ દાર્જીલીંગમાં શ્રી રામકથા યોજાશે.

દાર્જીલીંગ (પશ્ચિમ બંગાળ)માં ૧૧ થી ૧૯ સપ્ટેમ્બર દરમિયાન થશે. ત્યારે કોરોનાની સ્થિતિ દરેક રાજયના પોત પોતાના નિયમો, રાત્રી કફર્યુ વગેરેને ધ્યાનમાં રાખીને માત્ર પુર્વ નિમંત્રીત-સીમીત શ્રોતાઓને જ પ્રવેશ મળશે. સાથોસાથ અહી આવનાર દરેક શ્રોતાઓએ આવાસ અને આવવા-જવાની વ્યવસ્થા ખુદ પોતાએ કરવી પડશે. અહી પુર્વ નિમંત્રીત  શ્રોતાને જ કથા મંડપમાં પ્રવેશ મળશે અને પ્રસાદની વ્યવસ્થા થશે. આથી આમંત્રણ વગર કૃપા કરી અહી ન આવવાનો વિનય કરવામાં આવ્યો છે.

(4:00 pm IST)