Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અશોક ગહલોતની તબિયત લથડીઃ છાતીમાં અસહ્ય દુખાવાને કારણે હોસ્પિટલમાં દાખલ

જયપુર, તા.૨૭: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતની તબિયત અચાનક લથડી ગઈ છે. જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં દુખાવાની ફરીયાદ પછી તેઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમણે ટ્વિટ કરીને ખુદ આ બાબતે જાણકારી આપી છે. મુખ્યમંત્રી ગહલોતે ટ્વિટ કરીને જણાવ્યું કે કોવિડની સાઈડ ઈફેકટના કારણે મારી તબિયત ખરાબ થઈ છે.

મને છાતીમાં અસહ્ય દુખાવો થઈ રહ્યો છે. દર્દને કારણે એસએમએસ હોસ્પિટલમાં સીટી એનજીઓ કરાવ્યો છે. એન્જોયપ્લાસ્ટી કરવામાં આવશે.

(3:59 pm IST)