Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કેરળમાં કોરોનાના કેસમાં મોટો ઉછળો:દેશમાં નવા 44.543 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 32.920 દર્દીઓ રિકવર થયા : વધુ 493 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.36.889 થયો :એક્ટીવ કેસ 3.37.805 થયા : કુલ કેસની સંખ્યા 3.26.02.325 થઇ

સૌથી વધુ કેરળમાં 30.077 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5108 કેસ,તામિલનાડુમાં 1559 કેસ, આંધ્રપ્રદેશમાં 1539 કેસ, કર્ણાટકમાં 1213 કેસ,ઓરિસ્સામાં 849 કેસ, મિઝોરમમાં 794 કેસ, પશ્ચિમ બંગાળમાં 717 કેસ, આસામમાં 562 કેસ, મણીપુરમાં 380 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 44.543 કેસ નોંધાયા છે. જ્યારે 32.920 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 44.543 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 493 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.36.889 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 44.543 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.26.02.325 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.37.805 થઇ છે છેલ્લા 24 કલાકમાં 32.920 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.18.13.972 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી વધુ કેરળમાં 30.077 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5108 કેસ,તામિલનાડુમાં 1559 કેસ, આંધ્રપ્રદેશમાં 1539 કેસ, કર્ણાટકમાં 1213 કેસ,ઓરિસ્સામાં 849 કેસ, મિઝોરમમાં 794 કેસ, પશ્ચિમ બંગાળમાં 717 કેસ, આસામમાં 562 કેસ, મણીપુરમાં 380 કેસ નોંધાયા છે

(1:01 am IST)