Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

અટલજીના ૯૩માં જન્મદિવસે ૯૩ કેદીઓને જેલમુકત કરતી યોગી સરકાર

લખનૌ : ઉતરપ્રદેશનની યોગી આદિત્યનાથ સરકારે ભારતના પૂર્વ પ્રાઇમ મિનીસ્ટર શ્રી અટલ બિહારી વાજપેયીના ૯૩ માં જન્મદિવસે ૯૩ કેદીઓને જેલમુકત  કર્યા છે.

જેમની સજા પુરી થઇ ગઇ હોય પરંતુ  સાથે ભરવાનો થતો દંડ ચૂકવી ન શકવાને કારણે જેલમાં હોય તેવા ૯૩ કેદીઓને મુકત કરાયા હોવાનું જાણવા મળે છે. 

(7:26 pm IST)