Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

RSS આતંકવાદી સંગઠનઃ ભાજપ લોકોને ડરાવે છે

વોટ્સએપ અને સોશ્યલ મીડિયામાં ફરી રહેલો, હાર્દિક પટેલનો વિવાદાસ્પદ મેસેજઃ પાટીદારોને મુસ્લિમોનો ડર કેમ લાગે છે? હિન્દુઓને મુસ્લિમોથી કોણ ડરાવે છે?

નવી દિલ્હી તા. ૨૫ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના ચૂંટણીમાં ભાજપની જીત બાદ ભાજપ પર એકપછી એક હુમલા ચાલુ જ છે. હવે, હાર્દિકે ભાજપના ગોત્ર કહેવાતા RSSને નિશાન બનાવ્યું છે. વોટ્સએપ અને સોશયલ મીડિયા પર ફરતા થયેલા હાર્દિકના એક મેસેજમાં તેણે RSSને આતંકવાદી સંગઠન જણાવી લોકોને જાગૃત થવાની સલાહ આપી છે. એટલું જ નહીં, તેણે ભાજપ અને RSS ચૂંટણી સમયે લોકોને ડરાવવાની ચાલ ચાલતો હોવાનો આક્ષેપ પણ મૂકયો છે. ઉલ્લેખનીય છે કે હાર્દિકના આ મેસેજમાં 'જય સરદાર'નો નારો કયાંય લખવામાં આવ્યો નથી, તેના બદલે તેણે મેસેજના અંતમાં 'જય સંવિધાન', 'જય વિજ્ઞાન', 'જય કિસાન', 'જય જવાન' લખ્યું છે. પાટીદારોને મુસ્લિમોનો ડર કેમ લાગે છે? અને હિંદુઓને મુસ્લિમોથી કોણ ડરાવે છે? એવા મથાળા સાથે શરૂ થતા હાર્દિકના એ મેસેજમાં શું કહેવાયું છે, હાર્દિકે આ મેસેજમાં લખ્યું છે કે, 'પાટીદારોને મુસ્લિમોનો ડર કેમ લાગે છે? અને હિન્દુઓને મુસ્લિમોથી કોણ ડરાવે છે?? તેણે આગળ લખ્યું, 'પાટીદાર અનામત આંદોલન દરમ્યાન ૨૫મી ઓગષ્ટની રાતે હિંસા ચાલુ થઈ અને પોલીસ દ્વારા દમન કરવામાં આવ્યુ. સોસાયટીઓમાં અને ઘરોમાં ઘૂસીને મારવામાં આવ્યાં, ત્યાં સુધી કે પોલીસ પાંચ પાંચ માળ ઉપર ચડીને પાંચમા માળે રહેતાં પરિવારના ટીવી પણ તોડી નાખ્યા. ખાસ કરીને સુરતમાં અને અમદાવાદમાં જેમણે-જેમણે દમન જોયું છે એમને ખબર છે કે દમન કરવામાં ફકત પોલીસ ન હતાં પરંતુ માથાભારે ગણાતા અસામાજિક લુખ્ખા તત્વો પણ મોટી સંખ્યામાં પોલીસ સાથે સામેલ હતાં. ખુદ પોલીસે સામે ચાલીને પોલીસ સ્ટેશન વિસ્તારના બુટલેગરો, અને લુખ્ખા ગુંડાઓને દમનમાં સામેલ કર્યા હતાં અને આમ પાટીદાર સોસાયટીઓમાં ગુંડાગિર્દી કરવામાં પોલીસ અને ગુંડાઓ બંને સામેલ હતાં. પોલીસ કરતા પણ વધું નુકશાન કર્યું છે અને વધું ગાળો આ લુખ્ખા ગુંડાઓએ આપી છે.  મુસ્લિમોના નામે ડરના માર્યા ભાજપને મત આપતાં પાટીદારોએ કયારેય વિચાર્યું કે ૨૫-૨૬ ની રાતે અને દિવસે પોલીસ સાથે દમનમાં જોડાયેલ ગુંડાઓમાં એકપણ મુસ્લિમ ન હતો. (જેમની પાસે દમનનાં વિડીયો પડ્યા હોય એ લોકો જોવે કે કોઈ મુસ્લિમ શખ્સ સોસાયટીમાં તોડફોડ કરતો દેખાય છે?) આમ છતા પાટીદારો સ્થાનિક ગુંડાઓથી ડરવાને બદલે મુસ્લિમોથી શા માટે ડરે છે??'

પોતાના મેસેજમાં હાર્દિકે ગોધરાકાંડની ઘટનાનો ઉલ્લેખ કરતા લખ્યું છે, 'ગોધરાકાંડમાં મુસ્લિમોને મારી નાખવાથી લઈને આખું ઘર સળગાવી દેવાની ઘટનામાં બધાં જ સામેલ હતાં છતાંય ૨૫-૨૬ ની રાતે મહેસાણા, મોરબી, રાજકોટ, સાબરકાંઠા, વડોદરા જેવા શહેરોમાં પણ કયાંય એક સિંગલ મુસ્લિમ વ્યકિત પણ પાટીદારો સામે લડતો કે મારવા આવતો જોયો?? કયાંય કોઈ મુસ્લિમ ટોળું પાટીદારો સામે આવ્યુ?? કોઈએ બદલાની ભાવનાથી પાટીદારોને એક ગાળ પણ આપી?? મુસ્લિમોને જેટલા ખરાબ અને હિંસક ચિતરવામાં આવ્યા છે એટલાં જ ખરાબ હોત તો તકનો લાભ ઉઠાવીને તોડફોડ કરી લેતા ને!!! પરંતુ આખી લડાઈમાં મુસ્લિમોએ ખુબ સહકાર આપ્યો છે, તો પછી પાટીદારોને મુસ્લિમો પ્રત્યે આટલો ડર કેમ છે?? કોણ પાટીદારોને મુસ્લિમો અને દલિતોથી ડરાવે છે?? કોણ સતત ડરનો વેપાર કરી અને બહુમતીને ગુમરાહ કરે છે??'

બીજેપીના નેતાઓ અને RSS પર પ્રહારો કરતા મેસેજમાં લખ્યું છે, 'પાટીદારો જ નહીં પરંતુ મુસ્લિમોથી ડરતા તમામ લોકોએ વિચારવાનું રહ્યુ કે આતંકવાદના નામે લોકોને મુસ્લિમોથી ડરાવતા ભાજપના નેતાઓ અને RSSના લોકો ઉપર કયારેય કોઈ આતંકવાદી હુમલો થયો?? નિર્દોષ લોકોની કતલ કરતા આતંકવાદીઓ શા માટે ભાજપના ૧૦-૧૨ નેતાને મારી નથી નાખતા? મુસ્લિમો વિરૂદ્ઘમાં બેફામ નફરત ફેલાવતા સંઘના મોહન ભાગવતને કેમ કોઈ આતંકવાદી કિડનેપ નથી કરી જતા?? ટ્રેનમાં, બસમાં, વિમાનમાં, દવાખાનામાં, શાકમાર્કેટમાં, મોલમાં, કે હોટલમાં બોમ્બ વિસ્ફોટ કરતા આતંકવાદીઓ કયારેય ભાજપના કાર્યાલય પર કે નાગપુર RSS હેડકવાર્ટરમાં બોમ્બ કેમ નથી મૂકતા?? મુસ્લિમોની ધાર્મિક લાગણી ટ્રેનમાં મુસાફરી કરતો નિર્દોષ માણસ દૂભાવે છે કે નેતા?? તો પછી આતંકવાદી નેતાને સજા આપવાને બદલે નિર્દોષને કેમ મારી નાંખે છે?.બસ આ વાત જ વિચારવા જેવી છે કે મુસ્લિમોના નામે જેટલો ડર વધું એટલી સત્ત્।ા મજબૂત.'

આતંકવાદ અને સત્ત્।ાની વાત કરતા મેસેજમાં લખ્યું છે કે, 'સત્ત્।ા માટે હિન્દુ મુસ્લિમના નામે નફરત ફેલાવતા ભાજપના નેતાને ટાર્ગેટ કરવાનાં બદલે આતંકવાદીઓ નિર્દોષ લોકોને શા માટે ટાર્ગેટ કરે છે? કોના ઈશારે આતંકવાદ ચાલ્યો આવે છે?? આ બધુ RSSના કારણે થાય છે. RSS દેશના તમામ લોકોને ડરાવે છે જેમા દલિતોને સવર્ણોના નામે ડરાવે, હિન્દુને મુસ્લિમના નામથી ડરાવે, પાટીદારો દલિતોથી ડરાવે.'

ચૂંટણી સમયે જાતિકાર્ડની વાત કરતા હાર્દિકે મેસેજમાં લખ્યું છે, ' ચૂંટણી સમયે આ RSS અને ભાજપની લોકોને ડરાવવાની ચાલ જુવો, ૧૯૯૮ માં- મુસ્લિમ જીતશે તો જીવી નહિ શકો, ૨૦૦૨- દલિત જીતશે તો જીવી નહિ શકો,૨૦૧૭-જો પાટીદારો જીતશે તો જીવી નહિ શકો. બસ આ ડર બતાવી અને ભાજપ કાયમ સત્તા ઉપર આવ્યુ છે.'(૨૧.૧૧)

(12:13 pm IST)