Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

એકનાથ શિંદે શિવસેનાના બળવાખોર જૂથના નેતા તરીકે ચૂંટાયા

ગુવાહાટીમાં ધારાસભ્‍યોની બેઠકમાં નિર્ણય

મુંબઈ, તા.૨૪: મહારાષ્‍ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંઘર્ષમાં ગુરુવારે રાત્રે મોટો વિકાસ થયો છે. ગુવાહાટીમાં હાજર શિવસેનાના બળવાખોર ધારાસભ્‍યોએ મોડી રાત્રે બેઠક યોજી હતી, જેમાં એકનાથ શિંદેને શિવસેનાના બળવાખોર જૂથના નેતા તરીકે પસંદ કરવામાં આવ્‍યા હતા. તેમજ આ બેઠકમાં ચીફ વ્‍હીપ તરીકે ભરત ગોગાવાલેની નિમણૂક કરવામાં આવી હતી. આ પછી ડેપ્‍યુટી સ્‍પીકર નરહરિ જીરવાલ, વિધાનસભા સચિવ અને રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીને પત્ર મોકલવામાં આવ્‍યો હતો. આ પત્ર પર શિવસેનાના ૩૭ ધારાસભ્‍યોના હસ્‍તાક્ષર છે. બળવાખોર ધારાસભ્‍યોની આ બીજી બેઠક છે. અગાઉની બેઠકમાં જારી કરાયેલા પત્રમાં ૩૦ ધારાસભ્‍યોની સહી હતી.

(10:46 am IST)