Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd March 2022

યુક્રેન યુધ્ધમાં જીવ ગુમાવનાર ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ બેંગાલુરૂ લવાયો

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં રશિયન હુમલામાં નવીનનું મોત થયું હતું

બેંગ્લુરુ :રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં પોતાનો જીવ ગુમાવનારા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાનો મૃતદેહ ગત રાત્રિએ બેંગાલુરૂ લવાયો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયન હુમલામાં નવીનનું મોત થયું હતું. ત્યાર બાદ તેના મૃતદેહને ભારત લાવવા માટે સતત પ્રયત્નો થઈ રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ તાજેતરની બેઠકમાં સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા કે, નવીનના મૃતદેહને તેના વતન લાવવા માટે તમામ સંભવિત પ્રયત્નો કરવામાં આવે.

(12:00 am IST)