Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સાંજે પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામ કથાનો તામીલનાડુમાં પ્રારંભ

રાજકોટ, તા. ૨૦ :. પૂ. મોરારીબાપુનાં વ્યાસાસને આજથી તામિલનાડુમાં શ્રીરામકથાનો પ્રારંભ થશે. જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.

મધ્યપ્રદેશના તામીલનાડુ ખાતેના ટીટીડીએસ હોટલ, રામેશ્વરમ ખાતે આજે તા. ૨૦ને શનિવારે સાંજે ૪ વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થશે અને સાંજના ૭ વાગ્યા સુધી કથાનું રસપાન કરાવશે.

તા. ૨૧ને રવિવારથી તા. ૨૮ને રવિવાર સુધી દરરોજ સવારના ૯.૩૦ થી ૧.૩૦ સુધી પૂ. મોરારીબાપુ શ્રી રામકથાનું રસપાન કરાવશે.

શ્રી રામકથાનું 'આસ્થા' ચેનલ ઉપરથી  લાઈવ પ્રસારણ   કરવામાં આવશે.

(11:08 am IST)