Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

કાશ્મીરના પુલવામા, શોપિયાં અને અવંતીપોરામાં ૩ આતંકી ઘટનાઓ નોંધાઈ: ૪ને ઈજા

આતંકવાદીઓએ સીઆરપીએફ કેમ્પ પર લગભગ ૭.૫૫ કલાકે ગ્રેનેડ ફેંક્યો: ૩ સીઆરપીએફ જવાનો અને એક મજૂર ઘવાયો

જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું, કે સાંજના સમય  દરમિયાન, દક્ષિણ કાશ્મીરના પુલવામા, શોપિયાં અને અવંતીપોરા વિસ્તારોમાં ત્રણ આતંકવાદી ઘટનાઓ નોંધવામાં આવી હતી.
શોપિયાંમાં, લગભગ ૭.૫૦ વાગ્યે આતંકવાદીઓએ સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ ફેંક્યો જ્યારે અવંતીપોરામાં પણ  આતંકવાદીઓએ  સીઆરપીએફ કેમ્પ પર લગભગ ૭.૫૫ કલાકે ગ્રેનેડ ફેંક્યો. ૩ સીઆરપીએફ જવાનો અને એક મજૂર ઘવાયો હતો.

(11:55 pm IST)