Gujarati News

Gujarati News

News of Saturday, 19th March 2022

ઢાકામાં ઇસ્‍કોન રાધાકાંત મંદિર પર હુમલો : તોડફોડ અને લુંટફાટ

ઢાકા,તા.૧૯ : બાંગ્‍લાદેશની રાજધાની ઢાકામાં આવેલા ઇસ્‍કોન રાધાકાંત મંદિરમાં તોડફોડ અને લૂંટફાટ કરવામાં આવી છે. ઢાકાના વારીમાં ૨૨૨ લાલ મોહન સાહા સ્‍ટ્રીટ પર આવેલા ઇસ્‍કોન રાધાકાંત મંદિર પર ૨૦૦થી વધુ લોકોએ ગુરૂવારે હુમલો કર્યો હતો. હુમલામાં સુમંત્ર ચંદ્ર શ્રવણ, નિહાર હલદર, રાજીવ ભદ્ર સહિત ઘણા લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
મંદિર પર હુમલો ગુરૂવારે સાંજે  ૭ વાગ્‍યે થયો હતો. હુમલા દરમિયાન મંદિરમાં રાખવામાં આવેલી ઘણી કિંમતી વસ્‍તુઓ લૂંટીને ભીડ જતી રહી હતી. હુમલાખોરોએ મંદિરમાં ઘણી તોડફોડ કરી હતી. મંદિરની દિવાલો તૂટી ગઇ છે. જે તસવીરો સામે આવી છે તેમાં જોવા મળી રહ્યું છે કે મંદિરમાં ઘણું નુકસાન કરવામાં આવ્‍યું છે. ઘટનાસ્‍થળ પર હજુ પણ તણાવ જોવા મળે છે અને સ્‍થિતિને કાબૂમાં રાખવા માટે સલામતી વધારી દેવામાં આવી છે.

 

(9:37 am IST)