Gujarati News

Gujarati News

News of Wednesday, 19th January 2022

આઈએનએસ રણવીર ઉપર થયેલ બ્લાસ્ટને કારણે ત્રણ જવાનોનો ભોગ લેવાયો: કારણોની તપાસ માટે બોર્ડની રચના કરવામાં આવી

રક્ષા મંત્રાલયે માહિતી આપી છે કે નૌકાદળના જહાજ આઈએનએસ રણવીર ઉપર થયેલ બ્લાસ્ટને કારણે ત્રણ જવાનોના મૃત્યુ થયા છે

 નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "આજે નેવલ ડોકયાર્ડ મુંબઈમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી જ્યાં આઈએનએસ રણવીરના એક ડબ્બામાં વિસ્ફોટમાં ત્રણ ખલાસીઓ માર્યા ગયા હતા."  જહાજના ક્રૂએ ઝડપી કાર્યવાહી કરી પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.  કોઈ મોટા નુકસાનના સમાચાર નથી."

આઈએનએસ રણવીરને નવેમ્બર ૨૦૨૧માં ક્રોસ કોસ્ટ ઓપરેશન ડિપ્લોયમેન્ટના ભાગ રૂપે ઈસ્ટર્ન નેવલ કમાન્ડમાંથી રવાના કરવામાં આવ્યું હતું અને તે ટૂંક સમયમાં તેના બંદર પર પાછું આવવાનું હતું.

 સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે આ ઘટનાના કારણોની તપાસ માટે એક બોર્ડની રચના કરવામાં આવી છે.

(12:00 am IST)