Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કર્ણાટક : મંદિરમાં દિવ્ય નારિયેળની થઈ હરાજી : ભકતે ૬.૫ લાખમાં ખરીદ્યુ

નારિયેળની બોલીથી આવેલા રૂપિયાનો પ્રયોગ મંદિરના વિકાસ અને અન્ય ધાર્મિક કાર્યોમાં કરવામાં આવશે

બગલકોટ, તા. ૧૩: ભારતમાં લોકોને ભગવાનને લઈને ઘણી શ્રદ્ઘા અને વિશ્વાસ હોય છે. આવી જ ભકિતને લઈને એક ઘટના કર્ણાટકમાં સામે આવી છે. કર્ણાટકના એક મંદિરમાં એક વ્યકિતને એક ભાગ્યશાળી નારિયેળ પર હાથ રાખવાનો અવસર મળ્યો તો તેણે ૬.૫ લાખમાં બોલી લગાવીને તેને ખરીદી લીધુ. આ મંદિર બગલકોટ જિલ્લાના જમખંડી નામના કસ્બા નજીક ચિક્કાલકી ગામમાં સ્થિત છે.

નારિયેળને ખરીદનાર શખ્સ વિજયપુરા જિલ્લાના ટિક્કોટા ગામના રહેવાસી એક ફળ વિક્રેતા છે. એક રિપોર્ટ અનુસાર આ મંદિરમાં શ્રાવણ મહિનાના અંતિમ દિવસે નારિયેળની નીલામી કરવામાં આવે છે અને આ નિલામીમાં ભકત ભાગ લે છે. તે હરાજીમાંથી એક નારિયેળ ખરીદવામાં આવ્યુ છે.

આ નીલામીમાં કેટલાક ભકતોએ બોલી લગાવી અને સૌથી વધારે બોલી લગાવનાર શખ્સે આને ખરીદીને સૌને મુશ્કેલીમાં મૂકી દીધા. અન્ય કોઈ પણ વ્યકિત ફળ વિક્રેતા મહાવીર હરકેની બોલી નજીક પહોંચી શકયુ નહીં. ભગવાન મલિંગરાયને શિવના નંદીનુ એક રૂપ માનવામાં આવે છે અને તેમની પાસે રાખેલુ આ નારિયેળ તેમના ભકતો માટે સૌથી વધારે માગનારૂ છે. આ નારિયેળને દિવ્ય માનવામાં આવે છે અને એવુ માનવામાં આવે છે કે જે પણ આને પ્રાપ્ત કરશે તેની માટે આ સૌભાગ્ય લાવે છે.

મંદિર વહીવટીતંત્ર દ્યણા લાંબા સમયથી આવા જ નારિયેળની હરાજી કરી રહ્યુ છે પરંતુ બોલી કયારેય ૧૦૦૦૦ રૂપિયાની કિંમતને પણ પાર કરી શકી નથી. જોકે, આ વર્ષે વસ્તુ ઘણી બદલાઈ ગઈ છે. આ બોલી ૧૦૦૦ રૂપિયાથી શરૂ થઈ હતી અને તાત્કાલિક ૧ લાખ રૂપિયાની કિંમતને પાર કરી ગઈ. જે બાદ એક ભકતે ૩ લાખ રૂપિયાની રજૂઆત કરી. જોકે ખાસ નારિયેળ માટે આટલી કિંમત પહેલા કયારેય આપવામાં આવી નથી. મંદિર સમિતિના સદસ્ય લગભગ નિશ્યિત હતા કે બોલી અહીં સમાપ્ત થઈ જશે, પરંતુ મહાવીરની યોજના અલગ હતી. તેમણે કિંમત બેગણી કરી દીધી અને નારિયેળ ખરીદવા માટે ૬.૫ લાખ રૂપિયાની બોલી લગાવાઈ. આટલી મોંદ્યી બોલી બાદ મંદિર વહીવટીતંત્રએ કહ્યુ કે નારિયેળની બોલીથી આવેલા રૂપિયાનો પ્રયોગ મંદિરના વિકાસ અને અન્ય ધાર્મિક કાર્યોમાં કરવામાં આવશે.

(10:20 am IST)