Gujarati News

Gujarati News

News of Thursday, 12th August 2021

હવે દુબઈમાં ગૂંજશે જય જલિયાણનો નાદ : જલારામબાપાનું મંદિર બનાવવા મંજૂરી

ટૂંક સમયમાં જ જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાનો લાભ મળશે.

રાજકોટ : હવે દુબઈમાં પૂ, જલારામબાપાનું મંદિર બનશે સમગ્ર રઘુવંશી સમાજ તેમજ દેશ-વિદેશમાં વસતા જલારામ બાપાના ભક્તો માટે એક ગૌરવ લઈ શકાય તેવા આ મંદિર બનાવવા માટે મંજૂરી મળી હોવાના અહેવાલ મળે છે

 દુબઈમાં પૂજ્ય શ્રી જલારામ બાપાનું મંદિર બનાવવાનો સંકલ્પ કરવામાં આવેલ છે અને આ માટેની જરૂરી પરવાનગી દુબઈ સરકાર તરફથી મળી પણ ગઈ છે. આ મંદિર બનતા દુબઇમાં વસતા આપણાં ભારતીયો તથા અહીથી દુબઇ જતાં જલારામ બાપાના ભક્તોને ટૂંક સમયમાં જ જલારામ બાપાના દર્શન દુબઇમાં કરવાનો લાભ મળશે.

 

(12:00 am IST)