Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

પથ્થરની ખાણ ધરાશાયી થતાં ૭નાં મોતની આશંકા

ભીલવાડાની કમનસીબ ઘટના

જયપુર, તા.૧૧ : રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ગેરકાયદે પથ્થરની ખાણમાં અકસ્માત થયો હતો. ખાણ ધરાશાયી થતાં સાત મજૂરોના મોતની આશંકા છે. આ અકસ્માત આસિંદ પોલીસ સ્ટેશન વિસ્તારના લાછુડા ગામમાં થયો છે. પ્રારંભિક માહિતી અનુસાર ક્વાર્ટ્ઝ પથ્થરની ગેરકાયદેસર ખાણ તૂટી પડ્યા બાદ ત્યાં કામ કરતા કામદારો દટાઈ ગયા હતા. જેમાં ત્રણ મહિલા મજૂરો સહિત સાતના ઘટનાસ્થળે મોત થયાની શક્યતા છે. વહીવટીતંત્ર કામદારોના મૃતદેહો બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ વહીવટીતંત્ર અને ખાણ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.

(8:48 pm IST)