-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
રસીકરણ પ્રમાણપત્ર ઉપર પ્રધાનમંત્રીની તસ્વીર જાહેર હિતમાં કોવિડ૧૯ જાગૃતિ વિશે જાગૃતિ ફેલાવવાનોઃ કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી પવારનો જવાબ
વિપક્ષે ટીકા કરતા રાજ્યસભામાં કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના વાયરસના રસીકરણ સર્ટિફિકેટ પર તસવીર હોવાથી વિપક્ષે તેની ટીકા કરી હતી. હવે મંગળવારે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે તેના પર સ્પષ્ટતા આપી છે.
કેન્દ્રની મોદી સરકારે કહ્યું છે કે, રસીકરણના સર્ટિફિકેટ પર વડાપ્રધાનની તસવીર અને તેમનું નિવેદન રસીકરણ પચી કોવિડના દિશાનિર્દેશોને પાલન કરાવવાને મજબૂત બનાવવા માટે છે.
સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ભારતી પ્રવીણ પવારે વિપક્ષની ભારે ટીકા પછી લેખિતમાં તે જવાબ આપ્યો છે.
આ વર્ષે વિધાનસભા ચૂંટણી દરમિયાન વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાનની તસવીર પોતાના પ્રચાર કરવા માટે છે અને આ એક રાજકીય પગલું છે.
જોકે, કોઈ વિપક્ષી પાર્ટીઓના શાસનવાળા રાજ્યો જેવા કે પંજાબ, ઝારખંડ અને છત્તીસગઢે પોતાના સર્ટિફિકેટથી પીએમ મોદીની તસવીર હટાવી દીધી છે.
એવા સમયે જ્યારે ઘણા રાજ્યો રસી ખરીદવાનું કામ સંભાળી રહ્યા હતા, ત્યારે કેટલાક નેતાઓએ એમ પણ કહ્યું કે કેન્દ્ર રાજ્યોના પ્રયત્નોનો શ્રેય લઈ રહ્યું છે.
આ પછી, કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલો સિવાય રસી ખરીદવાની જવાબદારી લીધી. જો કે, રાજ્યોએ હજુ સુધી રસીનું સંચાલન કરવાનું કામ જોવાનું બાકી છે.
મંગળવારે આરોગ્ય મંત્રાલયને પૂછવામાં આવ્યું કે કોવિડ રસીકરણ પ્રમાણપત્ર પર પ્રધાનમંત્રીની તસવીર છાપવી કેટલી મહત્વની છે?
લેખિત જવાબમાં આરોગ્ય રાજ્ય મંત્રી પવારે જણાવ્યું હતું કે, “રોગચાળો અને તેની વિકસતી પ્રકૃતિને જોતાં એવું જાણવા મળ્યું છે કે કોવિડ આધારિત વર્તણૂક એ રોગના પ્રસારને રોકવા માટેના સૌથી મહત્વપૂર્ણ પગલાઓમાંનું એક છે. રસીકરણ પ્રમાણપત્ર પર પ્રધાનમંત્રીની તસવીર અને સાથેનો સંદેશ રસીકરણ પછી પણ જાહેર હિતમાં કોવિડ -19 આધારિત વર્તનના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.