Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

મોહન ભાગવત પણ આવશે

ભાજપની વાહવાહી કરવા ગુજરાતમાં ફરશે RSS

ભાજપની વાહવાહી કરવા ગુજરાતમાં ફરશે RSS

નવી દિલ્હી, તા.૧૧: ગુજરાતમાં ચૂંટણીને હજુ દોઢ વર્ષનો સમય બાકી છે ત્યારે ભાજપની સાથે હવે રાષ્ટ્રિય સ્વંયસેવક સંદ્ય (આરએસએસ) પણ સક્રિય થઇ ગયું છે. આગામી ૧ મહિનામાં ૩ પદાધિકારીઓ ગુજરાત પ્રવાસે આવશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત આગામી ૨૮-૨૯ સપ્ટેમ્બરના ગુજરાત આવશે.

મોહન ભાગવત ૨૮ સપ્ટેમ્બરના અમદાવાદ અને ૨૯ સપ્ટેમ્બરના સુરતમાં વિવિધ ક્ષેત્રના લોકોને મળી શકે છે. આ ઉપરાંત તેઓ આરએસએસની પ્રાંતની ટીમના સભ્યો સાથે બેઠક કરશે. આગામી ૧૫થી ૧૯ ઓગસ્ટ દરમિયાન  ગુજરાતમાંથી નવનિયુકત થયેલા કેન્દ્રિય મંત્રીઓના પ્રવાસ ગોઠવવામાં આવ્યા છે. તેઓ પણ વિવિધ જિલ્લામાં પ્રવાસ કરીને ભાજપની વાત પહોંચાડશે.

આરએસના વરિષ્ઠ નેતા નંદકુમાર ૧૬ ઓગસ્ટે ગુજરાત આવશે અને અખિલ ભારતીય વિચાર મંચ દ્વારા આયોજીત સ્વતંત્રતના ૭૫ વર્ષની ઉજવણીમાં હાજરી આપશે. સરસંઘકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે પણ ગુજરાત પ્રવાસે આવવાના છે. જેમાં તેઓ સંગઠનને જમીની સ્તરે કઇ રીતે મજબૂત કરવું તે મુદ્દા પર ચર્ચા કરશે.

(12:49 pm IST)