Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

૧૫ ઓગસ્ટ બાદ ધો. ૬ થી ૮ના વર્ગો શરૂ કરવા નિર્ણય થશે : ભૂપેન્દ્રસિંહ

કેબીનેટની બેઠકમાં સ્થિતિ સમીક્ષાની ચર્ચા થઇ

ગાંધીનગર તા. ૧૧ : કોરોનાનું સંક્રમણ ઘટતા ધીરે ધીરે શાળા - કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. આગામી ૧૫ ઓગસ્ટ બાદ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ધો. ૬ થી ૮ના વર્ગો શરૂ કરવા નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં ધો. ૬ થી ૮ના ઓફલાઇન વર્ગો શરૂ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે આ વિશે માહિતી આપતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, હાલ ધો. ૬ થી ૮ ના વર્ગો શરૂ કરવા માટે કોઇ નિર્ણય લેવાયો નથી. ૧૫મી ઓગસ્ટ પછી ધો. ૬ થી ૮ ની સ્કૂલ ખૂલવા સંદર્ભે નિર્ણય રાજ્ય સરકાર કરશે.

(3:42 pm IST)