Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

૧ ઓકટોબરથી લાગૂ થશે નવો નિયમ

ATMમાં જો કેશ નહીં હોય તો બેંકે દંડ ભરવાનો વારો આવશે

મુંબઈ,તા.૧૧: અનેકવાર ATM માં કેશ ન હોવાના કારણે લોકોએ પરેશાની ઉઠાવવી પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોટો નિર્ણય લીધો છે. નવા નિયમ મુજબ જો ખ્વ્પ્ માં કેશ ન હોય તો બેંકે હવે તેનું પરિણામ ભોગવવાનો વારો આવશે.

એક ઓકટોબર ૨૦૨૧દ્મક એક મહિનામાં કુલ ૧૦ કલાકથી વધુ સમય સુધી બેંક ATM ખાલી રહેશે તો આરબીઆઈ બેંકો પર ચાર્જ લગાવવાનો શરૂ કરી દેશે. આરબીઆઈએ એક સકર્યૂલરમાં કહ્યું છે કે એટીએમમાં નિર્ધારિત સમય દરમિયાન કેશ ન ભરવા પર બેંક પર ફાઈન લગાવવામાં આવશે. RBI એ આ પગલું એટલા માટે ભર્યુ છે જેથી કરીને એટીએમ દ્વારા જનતા માટે પૂરતી કેશની ઉપલબ્ધતા સુનિશ્યિત થઈ શકે. RBIએ આ નિર્ણય કેશ આઉટના કારણે એટીએમના ડાઉનટાઈમની સમીક્ષા બાદ લીધો.

RBI ના જણાવ્યાં મુજબ જો કોઈ એટીએમ એક મહિનામાં ૧૦ કલાકથી વધુ સમય સુધી કેશ વગર ખાલી હશે તો તેવી સ્થિતિમાં ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે. વ્હાઈટ લેબલ એટીએમની સ્થિતિમાં દંડ બેંકો પર લગાવવામાં આવશે. જો બેંક એટીએમમાં કેશ નાખવા માટે કોઈ કંપનીની સર્વિસ લેતી હશે તો પણ બેંકે જ દંડ ભરવો પડશે. બાદમાં બેંક ભલે તે વ્હાઈટ લેબલ એટીએમ કંપની પાસેથી દંડ વસૂલે.

(10:25 am IST)