Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

ઉત્તરપ્રદેશના જૌનપુરમાં એન્કાઉન્ટર: એટીએમ કેશ વાન ગાર્ડના બન્ને હત્યારા એન્કાઉન્ટરમાં ઠાર મરાયા. બંને બદમાશોને ફૂંકી મારનાર પોલીસ ટીમને મળશે એક લાખનું ઈનામ

યુપીની એજીએસ કંપનીની કેશ વાનના ગાર્ડની સોમવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ ધનિયામાઉ બજારમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.  ઘટનાના માત્ર ૧૪ કલાક બાદ પોલીસે આ બંને બદમાશોને એન્કાઉન્ટરમાં ઢેર કરી દીધા હતા.

પોલીસે પીછો કરતા બાઇક પર સવાર બંને બદમાશોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ સાથેના અંધાધૂંધ ગોળીબારના કારણે બજારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પોલીસ દ્વારા જવાબી કાર્યવાહીમાં બંને બદમાશો ઘાયલ થયા હતા.  પોલીસ બંનેને જિલ્લા હોસ્પિટલમાં લાવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.  બદમાશોની ઓળખ સરોખાનપુર નિવાસી અભિષેક ગૌતમ, પોલીસ સ્ટેશન બદલાપુર અને નીતિન મૌર્ય નિવાસી સિરકીના, પોલીસ સ્ટેશન સિંગરામૌ તરીકે થઈ હતી.  સ્થળ પરથી ૯ એમએમ પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા હતા.

(9:53 am IST)