Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

IAS ટીના ડાબી અને IAS અતહર ખાનના લગ્નનો કરુણ અંજામ : જયપુરની ફેમિલી કોર્ટે છૂટાછેડાની અરજી મંજૂર કરી

બન્નેએ વર્ષ 2018 માં એક હાઈપ્રોફાઈલ લગ્ન કર્યાં હતા: લગ્ન દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા: રાજનીતિ, સરકારી બાબુઓ અને ઘણા ફેમસ લોકો મહેમાન બન્યા હતા

નવી દિલ્હી :IAS ટીના ડાબી અને IAS અતહર ખાનના લગ્નનો કરુણ અંજામ આવ્યો છે જયપુરની ફેમિલી કોર્ટે બન્નેની છૂટાછેડાની અરજી મંજૂર કરી લેતા તેઓ હવે વિધિસર રીતે જૂદા પડી જશે. બન્નેએ ડિસેમ્બર 2020 માં પરસ્પર સહમતિથી છૂટાછેડાની અરજી કરી હતી.

બન્ને વચ્ચે કોઈ અણબનાવ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બન્નેએ વર્ષ 2018 માં એક હાઈપ્રોફાઈલ લગ્ન કર્યાં હતા. લગ્નમાં રાજનીતિ, સરકારી બાબુઓ અને ઘણા ફેમસ લોકો મહેમાન બન્યા હતા. તેમના લગ્ન દેશ આખામાં ચર્ચાસ્પદ બન્યા હતા ત્યાં સુધી કે તેમના લગ્નના લવ જેહાદ તરીકે પણ ગણાવાયા હતા.

કાશ્મીરના રહેવાશી અતહરખાને 2015 માં યુપીએસસી સિવિલ સેવા પરીક્ષામાં બીજો નંબર મેળવ્યો હતો. તે જ વર્ષે ટીના ડાબીએ પણ સિવિલ સેવા પરીક્ષામાં ટોપ કર્યું હતું. ટ્રેઈનિંગ દરમિયાન ટીના અને અતહર બન્નેની નજીક આવ્યાં હતા અને તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. ત્યાર બાદ બન્નેએ લગ્ન કરી લીધા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા થોડા સમયથી તેમની વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. તેમની વચ્ચેના સંબંધો પણ ખરાબ થયા હતા. લગ્નજીવન સારુ નહીં ચાલે તેવી ખાતરી થતા બન્નેએ છૂટા પડવાનો નિર્ણય લઈ લીધો હતો.

(12:00 am IST)