Gujarati News

Gujarati News

News of Wednesday, 11th August 2021

વહેલી તકે ભારત જતા રહો : અફઘાનિસ્તાનમાં વધી રહેલી હિંસાને ધ્યાને લઇ ભારતીય દૂતાવાસની સૂચના : કોમર્શિયલ ફ્લાઇટ બંધ થઇ જાય ત્યાર પહેલા વતનમાં પહોંચી જવા તાકીદ


અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાનમાં તાલિબાનોના વધી રહેલા હાહાકાર અને હિંસાને ધ્યાને લઇ ભારતીય દૂતાવાસે અફઘાનિસ્તાનમાં વસતા કે પ્રવાસે ગયેલા ભારતીય નાગરિકોને વહેલી તકે વતનમાં પહોંચી જવા અનુરોશ કર્યો છે.

દૂતાવાસે જણાવ્યા મુજબ કોમર્શિયલ ફ્લાઈટ્સ બંધ થઇ જાય તે પહેલા ભારત પહોંચી જવું જરૂરી છે. કારણકે તાલિબાનો દ્વારા સતત હિંસાનો દોર વધી રહ્યો હોવાથી સ્થાનિક કે વિદેશી નાગરિકોની સલામતી સતત જોખમમાં છે.તેવું ટી.ઓ.આઈ.દ્વારા જાણવા મળે છે.

 

(8:11 pm IST)