Gujarati News

Gujarati News

News of Tuesday, 10th August 2021

શ્રીનગરમાં ગ્રેનેડ એટેકમાં બે જવાન, ૯ લોકો ઘાયલ

આતંકીઓ દ્વારા વધુ એક હુમલો

શ્રીનગર, તા.૧૦ : જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલામાં સેનાના બે જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આતંકવાદીઓએ હુમલો શ્રીનગરની હરી સિંહ હાઈ સ્ટ્રીટમાં કર્યો. જાણકારી અનુસાર મંગળવારે બપોરે સેનાના જવાન શ્રીનગરના અમીરાકદલ વિસ્તારમાં ડ્યુટી કરી રહ્યા હતા. ત્યારે હરી સિંહ હાઈ સ્ટ્રીટ એરિયામાં આતંકવાદીઓએ સેનાની પોસ્ટ પર ગ્રેનેડ ફેંકી દીધો.

જોકે તેમનુ નિશાન ચૂકાઈ ગયુ અને ગ્રેનેડ પોસ્ટ પહેલા રસ્તા પર બ્લાસ્ટ થઈ ગયો. ઘટનામાં સિવિલિયન અને જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. તમામ જવાનોને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સાથે વિસ્તારની નાકાબંધી કરીને આતંકવાદીઓની તપાસ શરૂ કરી દેવાઈ છે. અત્યાર સુધી આતંકવાદીઓનો કોઈ સુરાગ નહીં મળ્યુ છે. સેનાના આતંકીવાદીઓ વિરૂદ્ધ સર્ચ ઑપરેશન ચલાવી રહ્યુ છે.

(8:04 pm IST)