Gujarati News

Gujarati News

News of Thursday, 8th July 2021

ખોટા નિવેદનો આપવાથી બચવું : કેબિનેટ બેઠકમાં મંત્રીઓને પીએમ મોદીની સલાહ

મહેનત રંગ લાવશે.એવા કામ કરો જેનાથી સામાન્ય વ્યક્તિના જીવનમાં બદલાવ લાવી શકો

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ આજે કેબીનેટની બેઠકમાં મંત્રીઓને સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે ખોટા નિવેદનો આપવાથી બચવું જોઈએ. તેમજ જે લોકો મંત્રીમંડળમાંથી દૂર થયા છે તેમના અનુભવથી શીખવાની જરૂર છે. તેમજ અનેક વાર નિર્ણય વ્યવસ્થાના પગલે લેવો પડતો હોય છે.

પીએમ મોદીએ મંત્રીઓને કહ્યું કે માત્ર તમારા મંત્રાલય સાથે જોડાયેલા મુદ્દા જોડે વાત કરો. મંત્રાલય પર ફોકસ કરો અને સરકારી યોજનાઓને જમીની સ્તર પર લઈ જાઓ. સરકાર અને મંત્રાલયનો સોશિયલ મીડિયા પર પ્રચાર કરો. તમારે બધાએ મહેનત કરવી પડશે અને મહેનત રંગ લાવશે.એવા કામ કરો જેનાથી સામાન્ય વ્યક્તિના જીવનમાં બદલાવ લાવી શકો.

(11:38 pm IST)