Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

માનસિક રીતે બીમાર દર્દીઓને હોસ્પિટલમાંથી વૃદ્ધાશ્રમ કે રેનબસેરામાં ન મોકલો : મહારાષ્ટ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો નિર્દેશ

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે આજરોજ મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ આપતા  જણાવ્યું છે કે માનસિક રીતે બીમાર દર્દીઓને હોસ્પિટલમાંથી વૃદ્ધાશ્રમ કે રેનબસેરામાં મોકલવાનો નિયમ બંધ કરો. આ લોકોને વૃદ્ધાશ્રમ કે રેનબસેરામાં મોકલવા તે બાબત મેન્ટલ હેલ્થ એક્ટ ની ભાવનાની વિરુદ્ધ છે.

નામદાર કોર્ટે જણાવ્યું હતું કે આ બાબતે ઘણા સમયથી વિચારણા ચાલી રહી છે. જેનો વહેલી તકે નિકાલ લાવવો જોઈએ.તેવું જસ્ટિસ શ્રી ડી.વાય.ચંદ્રચુડ તથા શ્રી એમ.આર.શાહએ સુનાવણી દરમિયાન જણાવ્યું હતું તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા  મળે છે.

(7:22 pm IST)