Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

ભગવાન જગન્નાથ આવતા વર્ષે રથયાત્રા કાઢવાના સંજોગો આપે તેવી અપેક્ષા : આ વર્ષે ઓડિસાના જગન્નાથ તથા અન્ય મંદિરોમાંથી રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર : કોવિદ -19 ની બીજી લહેર હજુ શમી નથી

ન્યુદિલ્હી : ઓડિસાના જગન્નાથ પુરી તથા અન્ય મંદિરોમાં બિરાજતા ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવા માટે સુપ્રીમ કોર્ટ પાસે માંગવામાં આવેલી મંજૂરી નામદાર કોર્ટે નકારી છે.

ચીફ જસ્ટિસ એન.વી.રમનાએ જણાવ્યું હતું કે છેલ્લા દોઢ વર્ષથી મારી પણ ઈચ્છા પુરી જવાની છે. પરંતુ હું ઘેરબેઠા પૂજા કરી લઉં છું. ભગવાન જગન્નાથ આવતા વર્ષે રથયાત્રા કાઢવાના સંજોગો આપે તેવી અપેક્ષા.

તેમણે ઉમેર્યું  હતું કે કોવિદ -19 ની બીજી લહેર હજુ શમી નથી .ઓડિસા સરકારે  રથયાત્રા કાઢવાની નામંજૂરી આપવાનો યોગ્ય નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે ઓડિસા વિકાસ પરિષદ દ્વારા કરાયેલી પિટિશન મામલે  તેમણે ઉપરોક્ત ચુકાદો આપ્યો હતી.તેવું એલ.એલ.એચ.દ્વારા  જાણવા મળે છે.

(1:38 pm IST)