Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

૨૪ કલાકમાં ૩૪૭૦૩ કેસ

૧૧૧ દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ : રિવકરી રેટ ૯૭.૧૭ ટકા

નવી દિલ્હી તા. ૬ : ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. દેશમાં સતત નવમા દિવસે ૫૦ હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૪,૭૦૩ નવા કેસ આવ્યા હતા. જે ૧૧૧૧ દિવસ બાદ નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. દેશમાં સાજા થવાનો દર ૯૭.૧૭ ટકા થઇ ગયો છે.

દેશમાં સતત ૫૩મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. ૪ જુલાઈ સુધી દેશભરમાં ૩૫ કરોડ ૨૮ લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે ૬૭ લાખ  ૮૭ હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં ૪૧ કરોડ ૯૭ લાખ ૭૭ હજાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે ૧૫ લાખ ૨૨ હજારથી વધુ જેટલા કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેનો પોઝિટિવીટી રેટ અંદાજે ૩ ટકા કરતાં વધારે હતો. એકટીવ કેસ હાલ ૪,૬૪,૩૫૭ છે. ૨૪ કલાકમાં ૫૧૮૬૪ દર્દી સાજા થયા છે.

દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર ૧.૨૩ ટકા છે જયારે રિકવરી રેટ અંદાજે ૯૬.૯૨ ટકા છે. એકિટવ કેસ ઘટીને ૩ ટકાથી ઓછો થયો છે. કોરોના એકિટવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જયારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.

કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓકટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યકત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.

(11:06 am IST)