Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

દેશમાં કોરોનાની બીજી લહેર ખત્મ થવાના આરે : નવા 27.020 કેસ નોંધાયા : વધુ 44.532 દર્દીઓ રિકવર થયા : વધુ 451 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.03.209 થયો :એક્ટીવ કેસ ઘટીને 4.59,059 થયા : કુલ કેસની સંખ્યા 3.06.11.933 થઇ

સૌથી વધુ કેરળમાં 8037 કેસ,મહારાષ્ટ્રમા 6740 કેસ,કર્ણાટકમાં 2848 કેસ, ઓરિસ્સામાં 2893 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 27.020 કેસ નોંધાયા છે. જ્યારે 44.532 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 27.020 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 451 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.03.209 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 27.029 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.06.11.933 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 4.59.059 થઇ છે છેલ્લા 24 કલાકમાં 44.532 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,97.37.536 લોકોએ કોરોનાને મહાત આપી છે

દેશમાં સૌથી વધુ કેરળમાં 8037 કેસ,મહારાષ્ટ્રમા 6740 કેસ,કર્ણાટકમાં 2848 કેસ, ઓરિસ્સામાં 2893 કેસ નોંધાયા છે 

(1:05 am IST)