Gujarati News

Gujarati News

News of Tuesday, 6th July 2021

તામિલનાડુમાં કોરોના કેસ રાહત મળતા નિયંત્રણો હળવા કરાયા : લગ્નમાં 50 લોકો અને અંતિમવિધિમાં 50 લોકોને મંજૂરી

સોમવારથી આંતરરાજ્યની સરકારી બસ સેવાઓ, સામાજિક, રાજકીય, મનોરંજન, સાંસ્કૃતિક અને રમતગમતને લગતા મેળાવડા અને શાળાઓ, કોલેજો, સિનેમાઘરો, બાર, સ્વિમિંગ પુલ અને પ્રાણી સંગ્રહાલય ખુલશે

ચેન્નાઇ : તામિલનાડુમાં કોરોના કેસમાં થોડી રાહત મળતા નિયંત્રણો હળવા કરાયા છે તમિળનાડુ સરકારે કહ્યું હતું કે, આંતરરાજ્યની સરકારી બસ સેવાઓ, સામાજિક, રાજકીય, મનોરંજન, સાંસ્કૃતિક અને રમતગમતને લગતા મેળાવડા અને શાળાઓ, કોલેજો, સિનેમાઘરો, બાર, સ્વિમિંગ પુલ અને પ્રાણી સંગ્રહાલય ફરીથી 12 જુલાઈથી રોજ સવારે 6 વાગ્યે ખૂલશે. લગ્નમાં મહત્તમ 50 લોકોને અને અંતિમવિધિમાં 20 લોકોને મંજૂરી આપવામાં આવશે.

(12:00 am IST)