Gujarati News

Gujarati News

News of Monday, 4th April 2022

રાજ્‍યસભામાં કોંગ્રેસની હાલત ‘પતલી' : ૧૭ જેટલા રાજ્‍યોમાંથી કોઇ પ્રતિનિધિ જ જોવા નહિ મળે

ચૂંટણી પછી ઉપલા ગૃહમાં કોંગ્રેસનું સંખ્‍યાબળ ઘટી જશે

નવી દિલ્‍હી,તા.૪: વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ હવે રાજયસભામાં પણ કોંગ્રેસ માટે સંકટની સ્‍થિતિ સર્જાઈ છે. રાજયસભાની આગામી ચૂંટણી બાદ ઉપલા ગૃહમાં કોંગ્રેસની સંખ્‍યા ઘટી જશે. તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે કોંગ્રેસનો ભૌગોલિક ગ્રાફ પણ હવે સંકોચાઈ રહ્યો છે. હવે ૧૭ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાંથી રાજયસભામાં કોંગ્રેસનો કોઈ પ્રતિનિધિ નહીં હોય.

માર્ચના અંતમાં રાજયસભામાં કોંગ્રેસના ૩૩ સાંસદો હતા. એ.કે.એન્‍ટની સહિત ચાર સભ્‍યો નિવૃત્ત થયા છે. તે જ સમયે, વધુ ૯ સભ્‍યોનો કાર્યકાળ જૂન અને જુલાઈમાં સમાપ્ત થશે. નિવૃત્ત થયેલાઓમાં પી ચિદમ્‍બરમ, અંબિકા સોની, જયરામ રમેશ અને કપિલ સિબ્‍બલનો પણ સમાવેશ થાય છે. ચૂંટણી બાદ રાજયસભામાં કોંગ્રેસનું સંખ્‍યાબળ ઘટીને વધુમાં વધુ ૩૦ સભ્‍યો થઈ જશે.

અત્‍યાર સુધી એવું ક્‍યારેય બન્‍યું નથી કે રાજયસભામાં કોંગ્રેસના આટલા ઓછા સાંસદો હોય. કોંગ્રેસ તામિલનાડુની ૬ બેઠકોમાંથી ઝપ્‍ધ્‍દ્ગચ એક બેઠક આપશે તેવી અપેક્ષા છે. આ પછી રાજયસભામાં તેની સંખ્‍યા વધીને ૩૧ થઈ જશે. જોકે, પાર્ટી પાસે ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પંજાબ, તેલંગાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઓડિશા, દિલ્‍હી અને ગોવાના કોઈ સાંસદ નહીં હોય.

૧૭ રાજયોમાં કોંગ્રેસને મોટું નુકસાન થવાનું છે. ચૂંટણી બાદ ઘણા મોટા રાજયોમાંથી કોંગ્રેસના રાજયસભાના સાંસદો નહીં રહે. પંજાબમાં સત્તા ગુમાવવાથી કોંગ્રેસને પણ મોટું નુકસાન થયું છે. આ રાજયોમાં હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, દિલ્‍હી, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ગોવા, આંધ્ર પ્રદેશ, ઓડિશા, સિક્કિમ, આસામ, મેદ્યાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્‍ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

(10:53 am IST)